બોટાદ
બોટાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના બોટાદ જિલ્લામાં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે.
બોટાદ | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°10′32″N 71°39′48″E / 22.175448°N 71.663307°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | બોટાદ | ||||||
વસ્તી | ૧,૩૦,૩૦૨ (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૯૨૨ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૮૩.૨૧% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોબોટાદની સ્થાપના કોંઢના ઝાલા ક્ષત્રિયોએ કરી હતી, જેઓ હળવદ-ધ્રાગંધ્રાના ભાયાત હતા.[૧]
વસ્તી
ફેરફાર કરોઇ.સ. ૧૮૭૨માં બોટાદની વસ્તી ૭,૪૫૦ અને ઇ.સ. ૧૮૮૧માં વધીને ૭,૭૫૫ થઇ હતી.[૧]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બોટાદ શહેરની વસ્તી ૧,૩૦,૩૦૨ હતી. જેમાં ૬૭,૭૭૮ પુરુષો અને ૬૨,૫૨૪ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. બોટાદનો સાક્ષરતા દર ૮૩.૨૧% હતો. લિંગ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૯૨૨ સ્ત્રીઓનું હતું.[૨]
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો- કૃષ્ણસાગર તળાવ
- અંબાજી મંદિર, બોટાદ (ગામ દેવી)
- વરીયાદેવી
- મોક્ષ મંદિર
- સ્વામિનારાયણ મંદિર, બોટાદ
વાહન વ્યવહાર
ફેરફાર કરોબોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે. બોટાદ જંકશન રેલ્વે સ્ટેશનથી પુણે, હૈદરાબાદ, કાકીનાડા, આસનસોલ, દિલ્હી સરાઇ રોહિલ્લા અને કોચુવેલી જવા માટે સીધી ટ્રેન મળે છે.[૩]
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરો- ઝવેરચંદ મેઘાણી - ગુજરાતી લેખક અને સ્વતંત્રતાસેનાની, રાષ્ટ્રીય શાયર.
- મોહમ્મદ માંકડ - કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની.
- દામોદર બોટાદકર - કવિ.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૨.
- ↑ Nikunj, Rojesara. "Botad According To Census-2011". Census2011. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૨.
- ↑ Mandaliya, Reeten. "Railway Junction Timing". Reeten Mandaliya.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |