ભીતરનો શંખનાદ

ગુજરાતી ગઝલસંગ્રહ

ભીતરનો શંખનાદ ભાવેશ ભટ્ટનો ગુજરાતી ભાષાનો ગઝલસંગ્રહ છે. તે રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા જાન્યુઆરી, ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. પુસ્તકની પ્રસ્તાવના રાજેશ વ્યાસ 'મિસ્કીન', અંકિત ત્રિવેદી અને શરદ ઠાકરે લખી છે.[૧]

ભીતરનો શંખનાદ
લેખકભાવેશ ભટ્ટ
પૃષ્ઠ કલાકારકુરંગ મહેતા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારગઝલ
પ્રકાશકરન્નાદે પ્રકાશન
પ્રકાશન તારીખ
જાન્યુઆરી ૨૦૧૪
પાનાં૧૨૬
પુરસ્કારો
OCLC862629692
દશાંશ વર્ગીકરણ
978-93-82456-64-3

સામગ્રી ફેરફાર કરો

આ પુસ્તકમાં ૧૧૨ ગઝલ છે. પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી છંદ જેવા કે રમલ, મુત્કારિબ, મુતદરીક, મઝારિયા અને ખફીફમાં રચાયેલી છે.[૨]

આવકાર ફેરફાર કરો

કવિ ભાવેશ ભટ્ટને તેમની કૃતિઓ છે તો છે (૨૦૦૮) અને ભીતરનો શંખનાદ માટે ૨૦૧૪ ના શયદા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગ્રહની કેટલીક ગઝલો જેમ કે "અચનાક વહેણમાં બદલાવ આવે", "આરતી ઉતારવાની એમને આદત હતી" અને "એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. પરીખ, ધીરુ (December 2015). "નવ્ય કવિ નવ્ય કવિતા". કવિલોક. અમદાવાદ: કવિલોક ટ્રસ્ટ.
  2. ૨.૦ ૨.૧ માતરી, જલન (March 2015). "ઊર્મિની ઓળખ". કુમાર. અમદાવાદ: કુમાર ટ્રસ્ટ.