મુબારકપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મુબારકપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા નિઝર તાલુકાનું ગામ છે. મુબારકપુર ગામમાં આદિવાસીઓ ઉપરાંત પટેલો તથા વસવાયાની વસતી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. ગામના લોકો ખાસ કરીને જુવાર, તુવર, મગફળી કપાસ,શેરડી તેમ જ અન્ય શાકભાજીની ખેતી કરે છે.આ ગામનું જુનું નામ 'રેલે' હતું,તેમ છતાં હાલમાં આ ગામનું નવું નામ 'રામપુર' રાખવાનું વિચારાય રહયું છે.

મુબારકપુર
—  ગામ  —
મુબારકપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′37″N 74°11′45″E / 21.477043°N 74.19592°E / 21.477043; 74.19592
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો નિઝર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો જુવાર, તુવર, મગફળી