'''બાબરકોટ (તા. જાફરાબાદ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[જાફરાબાદ તાલુકો|જાફરાબાદ તાલુકા]]માં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[માછીમારી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
[[અમદાવાદ]]થી આ સ્થળ ૩૨૫ કિમી અને [[ભાવનગર]]થી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
== ખોદકામ ==
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ગ્રેગરી પોસેલે આ સ્થળનો વિગતવાર અભ્યાસ [[રોજડીરોઝડી]] અને [[ઓરિયો ટીંબો|ઓરિયા ટીંબા]]ની સાથે હાથ ધર્યો હતો.