સંજાણ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સંજાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ઉમરગામ તાલુકામાં આવેલું ગામ છે. સંજાણ ગામમાં ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

સંજાણ
—  ગામ  —
સંજાણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ઉમરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર

હાલ ભારત દેશમાં વસતા પારસી લોકો ઇરાનથી આવ્યા તે વખતે સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા.[૧] એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દુધના પ્યાલામાં સાકર ભેળવી, પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "ભારત દેશમાં વસતા પારસી લોકો ઇરાનથી આવ્યા તે વખતે સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા". ગુજરાત પર્યટન વિકાસ નિગમ. મૂળ માંથી 2011-10-19 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર ૦૮, ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો