પ્રિય Varadsoneji, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૦, ૨૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)

પ્રમુખ સ્વામી અને પ્રકાશનાધિકાર ફેરફાર કરો

મિત્ર વરદભાઈ, આપે કરેલ યોગદાન બદલ આભાર. પરંતુ આપને એક વાત જણાવવાની હતી કે, વિકિપીડિયા, મૌલિક રીતે લખવામાં આવતા લેખોનું માધ્યમ છે. અહિં અન્ય કોઈક સ્ત્રોતમાંથી બેઠે બેઠી માહિતિ મુકવી તે પ્રકાશનાધિકારનો ભંગ ગણાય છે, કેમકે આજના યુગમાં દરેક માહિતિનો સ્ત્રોત મોટેભાગે પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોય છે. આપે આ માહિતિ જ્યાંથી લીધી છે તે પણ પ્રકાશધાનિકારથી સુરક્ષિત સ્ત્રોત છે. માટે આપને વિનંતિ કરવાની કે આ લેખને મૌલિક ભાષામાં લખવાનો પ્રયત્ન કરશો. વધુમાં, વિકિપીડિયા માહિતિનો સ્ત્રોત છે, અહિં માહિતિપ્રદ લેખો લખવામાં આવે છે, કોઇ સંત કે ગુરૂની પ્રસંશા કરતા લેખો અહીં લખી શકાતા નથી. લેખોમાં સંશોધન અને સત્ય વધુ હોવું જોઇએ, ભાવનાઓ ઓછી. આશા છે કે આપ વિકિપીડિયાના માપદંડ મુજબ લેખને ફરીથી લખવાનો પ્રયત્ન કરશો. કોઇ પણ સંશય હોય તો મારો કે અન્ય સક્રિય વિકિ મિત્રોનો સંપર્ક કરતા ખચકાશો નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૨૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)

લેખનશૌલી ફેરફાર કરો

ભાઇ શ્રી વરદભાઈ, આપે પ્રમુખ સ્વામી પરનો લેખ લખી ખુબ ઉમદા કાર્ય કર્યું છે. એક નોંધ લેવા જેવી બાબત એ લાગી કે લેખની લેખનશૌલી વિકિપીડિયા ને બંધ બેસતી નથી. અહિં જ્ઞાન કોષને લગતી માહિતી જ લખી શકાય. કાવ્યાત્મક ભાષાનો પ્રયોગ કરવો યોગ્ય ન ગણી શકાય. ધવલભાઇ વધુ પ્રકાશ પાડી શકશે. આ લેખ ઉપરાંત સંત શ્રી આસારામજી બાપૂ પરના લેખમાં પણ આવી જ લેખનશૌલીનો ઉપીયોગ થયેલો છે. અત્રે આશા રાખું કે મારી ટાંકનો કોઇ બીજો અર્થ ન લે. અહી ફક્ત ગુજરાતી વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવાનો નમ્ર પ્રયાસ છે. સીતારામ.... મહર્ષિં --Maharshi675 ૧૫:૦૭, ૨૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)