ચંદ્રપૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ચંદ્રપૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે. અગાઉ આ જિલ્લો ચંદા જિલ્લાના નામે ઓળખાતો હતો, પણ ઇ. સ. ૧૯૬૪માં તેનું નામ ચંદ્રપુર જિલ્લો પાડવામાં આવ્યું હતું. આ જિલ્લો ભારતમાં સૌથી મોટો જિલ્લો હતો, પરંતુ આ જિલ્લામાંથી વિભાજન કરીને ગડચિરોલી જિલ્લો અલગ કરવામાં આવ્યો ત્યારથી આ વિશેષતા ભુતકાળ બની ગઇ છે.

ચંદ્રપુર જિલ્લાની ઉત્તર દિશામાં નાગપૂર જિલ્લો, ભંડારા જિલ્લો તેમ જ વર્ધા જિલ્લો, પશ્ચિમ દિશામાં યવતમાળ જિલ્લો, પૂર્વ દિશામાં ગડચિરોલી જિલ્લો અને દક્ષિણ દિશામાં આંધ્ર પ્રદેશ રાજયનો અદિલાબાદ જિલ્લો આવેલા છે. આ જિલ્લામાંથી વૈનગંગા તેમ જ વર્ધા નદી પસાર થાય છે. આ નદીઓ વડે જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ દિશાઓની સરહદો બનેલી છે. આ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ખરીફ), કપાસ, સોયાબીન, ઘઉં, તુવર, મગ, અડદ અને મરચાંના પાકોની ખેતી કરવામાં આવે છે.

ચંદ્રપૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

ચંદ્રપૂર જિલ્લાના તાલુકાઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો