૧૧ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૮૫૬ – અવધના રાજા વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરી અવધ રજવાડું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવી દેવામાં આવ્યું.
  • ૧૯૭૯ – ઇરાની ક્રાંતિએ અયાતુલ્લાહ રુહુલ્લાહ ખોમેનીની આગેવાની હેઠળ ઇસ્લામિક ધર્મશાસ્ત્રની સ્થાપના કરી.
  • ૧૯૯૦ – નેલ્સન મંડેલાને 27 વર્ષ સુધી રાજકીય કેદી તરીકે રાખ્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનની બહારની વિક્ટર વર્સ્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • ૧૯૯૯ – પ્લૂટોએ નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષાને પાર કરી. તે ૨૨૩૧ સુધી નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષા સાથે ફરીથી સંપર્ક સાધે તેવી અપેક્ષા નથી.
  • ૨૦૦૧ – એક ડચ પ્રોગ્રામરે ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવાના ટ્રિક ફોટો દ્વારા લાખો ઇમેઇલ્સ સંક્રમિત કરીને 'અન્ના કુર્નિકોવા વાઇરસ'નો ફેલાવો કર્યો.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

  • ૧૯૪૨ – જમનાલાલ બજાજ, ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી (જ. ૧૮૮૪)
  • ૧૯૬૮ – દીનદયાલ ઉપાધ્યાય, ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી (જ. ૧૯૧૬)
  • ૧૯૭૭ – ફકરૂદ્દીન અલી અહમદ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના રાષ્ટ્રપતિ (જ. ૧૯૦૫)
  • ૧૯૮૦ – રમેશચંદ્ર મજુમદાર, ભારતીય ઇતિહાસવિદ્‌ (જ. ૧૮૮૮)
  • ૨૦૧૮ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવાધિકાર વકીલ અને સામાજિક કાર્યકર્તા (જ. ૧૯૫૨)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • વિજ્ઞાનમાં મહિલા અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • રાષ્ટ્રીય સ્થાપના દિવસ (જાપાના)

બાહ્ય કડીઓ ફેરફાર કરો