મનોજ કુમાર પાંડે

પરમવીર ચક્ર પ્રાપ્તકર્તા

કેપ્ટન મનોજ કુમાર પાંડે (૨૫ જૂન ૧૯૭૫ – ૩ જુલાઈ ૧૯૯૯) ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેઓ ૧/૧૧ ગુરખા રાઈફલ્સનો હિસ્સો હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. તેમને આ સન્માન પ્રતિકુળ સમયમાં અદમ્ય સાહસ અને નેતાગીરીના ગુણો માટે આપવામાં આવ્યા. તેઓ કારગિલના બટાલિક વિસ્તારમાં આવેલ જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ ખાતે એક હુમલામાં શહીદ થયા હતા.

કેપ્ટન
મનોજકુમાર પાંડે
PVC
જન્મ(1975-06-25)25 June 1975
રુઢા, સીતાપુર, ઉત્તર પ્રદેશ, ભારત
મૃત્યુ3 July 1999(1999-07-03) (ઉંમર 24)
જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ, બટાલિક સેક્ટર, કારગિલ, લડાખ, ભારત
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા  ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૯૭–૧૯૯૯
હોદ્દો કેપ્ટન
સેવા ક્રમાંકIC-56959W[૧]
દળ૧/૧૧ ગુરખા રાઇફલ્સ
યુદ્ધોકારગિલ યુદ્ધ
ઓપરેશન વિજય
કુકરથનની લડાઈ
ખાલુબારની લડાઈ
પુરસ્કારો પરમવીર ચક્ર
સહી

પ્રારંભિક જીવન ફેરફાર કરો

કેપ્ટન મનોજ પાંડે ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લોના રુઢા ગામના વતની હતા. તેમના પિતા શ્રી ગોપીચંદ પાંડે નાના પાયે વેપાર કરતા હતા અને લખનૌ ખાતે રહેતા હતા. તેમના ભાઈબહેનોમાં તેઓ સૌથી મોટા હતા. તેમને શિક્ષણ ઉત્તર પ્રદેશ સૈનિક શાળા, ઉત્તર પ્રદેશ અને રાણી લક્ષ્મીબાઈ મેમોરિયલ ઉત્તર બુનિયાદી શાળા ખાતે મળ્યું હતું. તેમને રમતગમતમાં ખાસ કરી અને બોક્સિંગ અને શારિરીક કસરતમાં ખૂબ જ રુચિ હતી. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અકાદમીના ૯૦મી બેચના ભાગરૂપે ઉત્તીર્ણ થયા. તેમને ગોરખા રાઈફલ્સમાં જોડાવામાં રુચિ હતી તેથી તેઓ ૧/૧૧ ગુરખા રાઇફલ્સમાં અફસર તરીકે જોડાયા.

પસંદગી સમયે તેમની મૌખિક પરીક્ષામાં જ્યારે તેમને ભૂમિસેનામાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તુરંત જ જવાબ આપ્યો કે ‘તેમને પરમવીર ચક્ર જીતવું છે.’ તેમના શબ્દોને સાર્થક કરતાં તેમણે હકીકતમાં દેશનું સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર મેળવ્યો.

કારગિલ ફેરફાર કરો

૩ જુલાઈ ૧૯૯૯ના રોજ બટાલિક વિસ્તારમાં તેમણે ઘૂસણખોરોને ખદેડી મુક્યા. તેમની દોરવણી હેઠળ તેમની સૈન્ય ટુકડીએ જુબેર ટોપ પર કબ્જો મેળવ્યો જે વ્યૂહરચનાની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું સ્થળ હતું. પરિસ્થિતિને પામીને યુવા અફસર પોતાના સૈનિકોને સાંકડી કેડી વાટે દુશ્મન સુધી દોરી ગયા અને ગોળીઓની ઝડી વચ્ચે પોતાના સૈનિકોથી આગળ વધી અને દુશ્મનો પર હુમલો કરી દીધો.

ખભા અને પગમાં ઈજાઓ થવા છતાં તેમનો એકલહથ્થો હુમલો દુશ્મનના પ્રથમ બંકર સુધી ન પહોંચ્યા ત્યાં સુધી દૃઢ નિશ્ચયથી ચાલુ રાખ્યો. ત્યારબાદ હાથોહાથની હિંસક લડાઈમાં તેમણે બે દુશ્મનોને મારી નાખ્યા અને પ્રથમ બંકર કબ્જે કર્યું. લડાઈમાં આ ક્ષણ મહત્ત્વની સાબિત થઈ. તેમના નેતાની તાત્ક્ષણિક બહાદુરી જોઈ અને સૈનિકો પણ જુસ્સાભેર આગળ વધ્યા અને દુશ્મનો પર હુમલો કરી દીધો. પોતાને થયેલ ગંભીર ઈજાઓને અવગણીને પાંડે એક થી બીજા બંકર સુધી પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કરતા ભાગતા રહ્યા. ગંભીર ઈજાઓને કારણે તેઓ છેલ્લા બંકર પાસે પડી ગયા અને શહીદ થઈ ગયા. પરંતુ આ સમય દરમિયાન તેમણે બંકર પર તેમના સૈનિકોની મદદથી કબ્જો મેળવી લીધો હતો.

ઑપરેશન વિજય ફેરફાર કરો

ઑપરેશન વિજય દરમિયાન કેપ્ટન પાંડે એ સંખ્યાબંધ સાહસભર્યા હુમલાઓની આગેવાની કરી હતી.

તેમની ડાયરી ફેરફાર કરો

  • કવિતાના અંતમાં તેમણે નોંધ્યું છે કે "મારા રક્તને સાબિત કરું તે પહેલાં જો મોત આવશે તો હું વાયદો (સોગંદ) કરું છું કે હું મોતને મારી નાખીશ"
  • તેમણે માતાની યાદમાં નોંધ્યું કે "તેણી સિતારો છે જે હંમેશા કાજળઘેરા અંધકારમાં તેજપૂર્વક ચળકે છે, જે ફક્ત આપવામાં અને આશિર્વાદ જ આપે છે."
  • તેમની ખાનગી ડાયરીમાં તેમણે નોંધ્યું કે "કેટલાક લક્ષ્યો એટલા સન્માનનીય હોય છે કે તે મેળવતાં નિષ્ફળ જવું પણ યશકર છે."

ચલચિત્રમાં ફેરફાર કરો

ચલચિત્ર એલઓસી કારગિલમાં તેમના પાત્રનો અભિનય અજય દેવગણે કર્યો છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 1 August 1998. પૃષ્ઠ 1110.

બાહ્ય કડીઓ ફેરફાર કરો