રાજેન્દ્ર પટેલ ભારત, ગુજરાતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક વિવેચક છે. તેઓ ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.[૪] તેમની નોંધપાત્ર કૃતિઓમાં જુઈની સુગંધ (૨૦૦૩; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ), શ્રી પુરંત જાણશે (૨૦૦૯; કાવ્યસંગ્રહ) અને અવગત (૨૦૧૪; વિવેચન સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને તેમના કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને વિવચનો બદ્દલ ત્રણ વખત સન્માનિત કર્યા. તેમનું પુસ્તક જુઈની સુગંધનું નવનીત ઠક્કરે હિંદીમાં જૂહી કી મહક (૨૦૦૭) નામે ભાષાંતર કર્યું હતું. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત માસિક સામાયિક શબ્દસૃષ્ટિના સંપાદકીય મંડળમાં પણ સેવા આપી હતી.

રાજેન્દ્ર પટેલ
ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે રાજેન્દ્ર પટેલ.
ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે રાજેન્દ્ર પટેલ.
જન્મનું નામ
રાજેન્દ્ર ભોગીલાલ પટેલ
જન્મરાજેન્દ્ર ભોગીલાલ પટેલ
૨૦ ઓગસ્ટ ૧૯૫૮[૧]
નરોડા, અમદાવાદ, ગુજરાત
વ્યવસાયકવિ, લઘુકથા લેખક, વિવેચક, અનુવાદક [૨]
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એસ.સી.[૩]
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત વિશ્વવિદ્યાલય
સમયગાળોઅનુ-આધુનિક ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • જૂઈની સુગંધ (૨૦૦૩)
  • શ્રી પુરાંત જાણશે (૨૦૦૯)
નોંધપાત્ર પુરસ્કારોગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર
સક્રિય વર્ષો૧૯૭૪થી આજ સુધી
સહી

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૦ ઑગસ્ટ ૧૯૫૮ ના દિવસે ગુજરાતના અમદાવાદના નરોડા વિસ્તારમાં ભોગીલાલ અને લક્ષ્મીબહેનને ઘેર થયો હતો. તેમણે ૧૯૬૮ થી ૧૯૭૪ દરમિયાન કાંકરિયા નજીક આવેલી દિવાન બાલ્લુભાઇ સ્કૂલમાં શાલેય શિક્ષણ લીધું હતું. ૧૯૭૮માં તેમણે રસાયણ શાસ્ત્ર વિષયમાં ભવન્સ કૉલેજ, અમદાવાદથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. ૧૯૮૦ માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ સાયન્સમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સની પદવી મેળવી.[૫] તેમણે ૧૯૮૪ માં લગ્ન કર્યા અને તેમને બે પુત્રીઓ છે.[૬]

૨૦૦૬ થી ૨૦૦૯ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ખજાનચી તરીકે સેવા આપી હતી; તે સિવાય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૧ સુધી વાંચે ગુજરાત અભિયાનના સંયુક્ત સચિવ તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સચિવ તરીકે; અને ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.[૪] હાલમાં તેઓ માતૃભાષા અભિયાન, અનુવાદ પ્રતિષ્ઠાનના ડાયરેક્ટર અને અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવના કેન્દ્રીય સમિતિના સભ્ય છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપની પણ ચલાવી રહ્યા છે.

લેખન ફેરફાર કરો

૧૯૭૪માં તેમણે લખવાનું શરૂ કર્યું અને વિશ્વમાનવ નામના ગુજરાતી ભાષાના સામયિકમાં પ્રથમ વખત તેમનું લેખન પ્રકાશિત થયું. ત્યારબાદ, તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ્દ અને નવનીત સમર્પણ સહિત અન્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ.

રચનાઓ ફેરફાર કરો

  • શ્રી પુરાંત જણશે (૨૦૦૯)
  • કબૂતર, પતંગ અને દર્પણ (૨૦૧૨)
  • એક શોધપર્વ (૨૦૧૩)
  • બાપુજીની છત્રી (૨૦૧૪)
  • કોષમાં સૂર્યોદય (૨૦૦૪)
  • વસ્તુપર્વ (૨૦૧૬)
  • જુઈની સુગંધ (૨૦૦૩)
  • અધુરી શોધ (૨૦૦૯)
  • અકબંધ આકાશ (૨૦૧૧)
  • અવગાહન (૨૦૧૦)
  • અવગત (૨૦૧૪)
  • મરિતે ચાહિ ના આમિ (૨૦૧૫)

સન્માન ફેરફાર કરો

તેમને ૨૦૦૪ માં તેમના લઘુકથા સંગ્રહ જુઈની સુગંધ માટે, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી, ૨૦૦૯ માં તેમના કાવ્યસંગ્રહ શ્રી પુરાંત જાણશે[૫] અને ૨૦૧૪ માં તેમના વિવેચન પુસ્તક "અવગત" બદલ પુરસ્કાર મેળવ્યા હતા.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Welcome to Muse India". Welcome to Muse India. 1958-08-28. મૂળ માંથી 2016-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-21.
  2. "kritya2012 «  Kritya". Kritya. મેળવેલ 2016-07-21.
  3. "Rajendra Patel". www.indianwriters.org. 1958-08-20. મૂળ માંથી 2016-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-21.
  4. ૪.૦ ૪.૧ "Kritya :: Poetry In Our Time". Kritya.in. મૂળ માંથી 2016-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-21.
  5. ૫.૦ ૫.૧ શુક્સા, કિરિટ (૨૦૧૩). ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૩૪૩. ISBN 9789383317028.
  6. Kabootar, Patang ane Darpan written by Rajendra Patel, year-2012, Publisher, Rangdwar prakashan, Ahmedabad, page-12, ISBN 978-93-80125-33-6

બાહ્ય કડીઓ ફેરફાર કરો