હરકિસન મહેતા

ગુજરાતી લેખક અને સંપાદક
(હરકિશન મહેતા થી અહીં વાળેલું)

હરકિસન લાલદાસ મહેતા ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક હતા. તેમણે ઘણી નવલકથાઓ લખી છે.

હરકિસન મહેતા
જન્મહરકિસન લાલદાસ મહેતા
(1928-05-25)25 May 1928
મહુવા, ભાવનગર જિલ્લો, ગુજરાત
મૃત્યુ3 April 1998(1998-04-03) (ઉંમર 69)
મુંબઈ
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનોજગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, જડ-ચેતન, વંશ-વારસ, લય-પ્રલય

જીવન ફેરફાર કરો

હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું.[૧] ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો.[૨]

૧૦ ફેબ્રુઆરી ૧૯૫૩ના રોજ માટુંગા, મુંબઈમાં તેમનાં લગ્ન કલાબેન સાથે થયાં હતાં.[૩]

તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા.[૪] ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૫]

ચિત્રલેખા ફેરફાર કરો

૧૯૫૨માં તેઓ 'ચિત્રલેખા' સામયિકમાં વજુ કોટકના વડપણ હેઠળ જોડાયા પણ ૧૯૫૮ના જૂનમાં આર્થિક ભીંસને લીધે તેઓ છૂટા થયા.[૨] ત્યારબાદ ટૂંક સમય માટે તેમણે વિક્રોલીમાં ટેક્સટાઇલની લૂમ નાખી.[૬] વજુભાઈનાં અવસાન બાદ, તેઓએ ૧૯૫૯ થી ૧૯૯૮ સુધી ગુજરાતી 'ચિત્રલેખા'ના સંપાદક(તંત્રી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો.[૭][૮][૯]

સર્જન ફેરફાર કરો

તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અંજાપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન,[૧૦] સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી.[૫]

સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું.[૫]

સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.[૧][૧૧]

પૂરક વાચન ફેરફાર કરો

  • શાહ, સૌરભ, સંપાદક (૨૮ ફેબ્રુઆરી ૨૦૦૩). હરકિસન મહેતા: સર્જન વિસર્જન. રાજકોટ: પ્રવિણ પ્રકાશન. OCLC 52929273.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "સર્જન-વિસર્જન – હરકિસન મહેતા". Readgujarati.com. ૧૮ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ Shah, Saurabh (2020-05-25). "હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર : સૌરભ શાહ | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
  3. શાહ, સૌરભ. "'મારો પ્યૂન જોઈતો હોય તો એને પણ લઈ જાવ'". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  4. Shah, Saurabh (2020-05-28). "કરવા જેવી ઘણી ભૂલો નથી કરી એનું દુઃખ છે! : હરકિસન મહેતા | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ કૃતેશ (૨૯ જુલાઇ ૨૦૧૧). "હરકિસન મહેતા,Harkisan Mehta". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  6. Shah, Saurabh (2020-05-26). "હરકિસન મહેતાએ 'ચિત્રલેખા' છોડીને વિક્રોલીમાં કાપડની લૂમ નાખી: સૌરભ શાહ | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
  7. Jack Canfield, Mark Victor Hansen, Raksha Bharadia (૨૧ નવેમ્બર ૨૦૧૩). CHICKEN SOUP FOR THE INDIAN GOLDEN SOUL. Westland. પૃષ્ઠ ૯૧. ISBN 978-93-80658-22-3.CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી]
  8. શાહ, સૌરભ (૯ જુલાઇ ૨૦૦૯). "મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર". Saurabh Shah Online. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  9. Mehta, Deepak. "ધારાવાહિક નવલકથાને ઊની આંચ નહિ આવે". Opinion. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  10. "શમી ગઈ એક મૂગી ચીસ : હરકિસન મહેતાની "તુલસી"નું નહીં આવ્યું હેપ્પી એન્ડીંગ". Khabarchhe.com. ૨૮ મે ૨૦૧૫. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
  11. Shah, Saurabh. "પોતાનું વિસર્જન કરીને પાત્રોનું સર્જન કરનારા". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.