અધેળાઇ (તા. ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અધેળાઇ (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. અધેળાઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ભાલ વિસ્તારનુ ગામ છે.

અધેળાઇ
—  ગામ  —
અધેળાઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′06″N 72°06′46″E / 22.051777°N 72.112649°E / 22.051777; 72.112649
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

અધેળાઇ ધોલેરા અને ભાવનગરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી અને અહીંથી જ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન - જે ફ્ક્ત ફક્ત દશ કિલોમીટર દુર આવેલ છે - તરફ જવા માટે રસ્તો ફંટાતો હોવાથી અહીંયા પ્રવાસી અને મુલાક્તી માટે વિવિધ વાનગીઓ પીરસતા ભોજનાલયો પણ આવેલા છે. વાહનો માં બળતણ પુરવા માટે અહીં પેટ્રોલ અને ડીઝલ પંપ પણ ઉપલબ્ધ છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન