ખડસલીયા (તા. ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખડસલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ખડસલીયા
—  ગામ  —
ખડસલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′00″N 72°04′27″E / 21.71676°N 72.07426°E / 21.71676; 72.07426
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ભુગોળ ફેરફાર કરો

આ ગામ ખંભાતના અખાતમાં દરિયા કિનારે આવેલું છે. ગામની પૂર્વે દરિયા કિનારો, પશ્વિમમાં મોરચંદ, ઉત્તરે ભડભડિ-હાથબ અને દક્ષિણમાં થળસર ગામ આવેલું છે. ગામમાં પશ્વિમમાં આવેલ મોરચંદ ગામમાંથી ઉદ્ભવતી નાની નદી વહે છે, જે મીઠાં પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ નદી આગળ જઇને ખડસલિયા ગામમાં ખોડીયારનો ધરો બનાવે છે, જ્યાં નાનો ચેકડેમ આવેલો છે.


ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો