ધનસુરા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ધનસુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ શહેર અમદાવાદથી લગભગ ૮૫ કિમી ઉત્તર-પૂર્વમાં આવેલું છે. અગાઉ તે સાબરકાંઠા જિલ્લાનો એક ભાગ હતો[૨] અને હવે તે અરવલ્લી જિલ્લાનો ભાગ છે.

ધનસુરા
—  નગર  —
ધનસુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°21′N 73°12′E / 23.350°N 73.200°E / 23.350; 73.200
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
નજીકના શહેર(ઓ) અમદાવાદ
લોકસભા મતવિસ્તાર અરવલ્લી
વિધાનસભા મતવિસ્તાર મોડાસા
નગર નિગમ ધનસુરા ગ્રામ પંચાયત
વસ્તી

• ગીચતા

૧૨,૪૨૪[૧] (૨૦૧૧)

• 328/km2 (850/sq mi)

લિંગ પ્રમાણ ૯૨૪ /
સાક્ષરતા ૮૪.૦૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૩૩૧૦
    • ફોન કોડ • +૨૭૭૪
    વાહન • GJ - 09

ધનસુરા ગુજરાત રાજ્ય ધોરી માર્ગ ૫૯ ઉપર મોડાસાથી ૧૬ કિ.મી. દૂર સ્થિત છે અને રાજ્ય પરિવહન સેવાઓ દ્વારા મોડાસા સાથે જોડાયેલું છે. તે માર્કેટ યાર્ડ, બે ઓઇલ-મિલો અને પાંચ જિનિંગ અને પ્રેસિંગ ફેક્ટરીઓ સાથેનું એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે.

ઈતિહાસ ફેરફાર કરો

૧૯૮૨ની આસપાસ ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગના બી.જે.મકવાણા અને ધનસુરાની ડી.પી.સી.બી.એલ.ની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સુમન એચ.પંડ્યાએ ગામની ઉત્તરે આવેલા ગોરમતીની-ખાણ તરીકે ઓળખાતા ટેકરા પર ખોદકામ હાથ ધર્યું હતું. ખોદકામ દરમિયાન, સંભવતઃ મેસોલિથિક સમયગાળાના બે માનવ હાડપિંજર ૧૦૫ સે.મી.ની ઊંડાઈએથી મળી આવ્યા હતા, જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ ઉન્મુખ હતા. આ હાડપિંજરમાંથી એક પુખ્ત વયના વ્યક્તિનું હતું જ્યારે બીજું બાળકનું હતું. મોટા પ્રાણીઓના તૂટેલા દાંત, પીઠ-હાડકાં અને અન્ય બળી ગયેલા હાડકાં, માઇક્રોલિથિક સાધનો દા.ત., બ્લેડ, લ્યુનેટ્સ, પોઇન્ટ, ફ્લેક, ચર્ટ[upper-alpha ૧], કાર્નેલિયન [upper-alpha ૨] અને ચેલ્સેડોનીમાંથી [upper-alpha ૩] બનેલા સ્ક્રેપર પણ મળી આવ્યા હતા. એક ખાઈમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. આ જ ખાઈમાં, હાડપિંજરની નીચે ભારતીય ગાયના સળગેલા હાડકાં, હથોડા પત્થરો તથા એક પથ્થરની ઘંટી મળી આવી હતી.[૩]

નોંધ ફેરફાર કરો

  1. ચર્ટ એ એક સખત, સૂક્ષ્મ દાણાવાળો જળકૃત ખડક છે, જે માઇક્રોસ્ફટિકાઇન અથવા ક્રિપ્ટોસ્ફટિકીય ક્વાર્ટ્ઝનો બનેલો છે, અને સિલિકોન ડાયોક્સાઇડ (SiO2)નું ખનિજ સ્વરૂપ છે.
  2. કાર્નેલીયન એ કથ્થઈ-લાલ રંગનું ખનીજ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે અર્ધમુખી પથ્થર તરીકે થાય છે.
  3. ચેલ્સીડોની એ સિલિકાનું ક્રિપ્ટોક્રિસ્ટલાઇન સ્વરૂપ છે, જે ક્વાર્ટ્ઝ અને મોગાનાઇટની ખૂબ જ બારીક આંતરવૃદ્ધિથી બનેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dhansura Village Population, Caste - Dhansura Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-04.
  2. Rasiklal Chhotalal Parikh; Gautama Vā Paṭela; Bharati Kirtikumar Shelat (2005). Rasika-bhāratī: Prof. R.C. Parikh Commemoration Volume. Gandhinagar: Sanskrit Sahitya Akademi. પૃષ્ઠ 389.
  3. Sandhya Bansal. Indian Archaeology 1989 90 A Review.