પ્રહલાદ જેઠાલાલ પારેખ

ગુજરાતી કવિ

પ્રહલાદ જેઠાલાલ પારેખ (૨૨ ઓક્ટોબર ૧૯૧૧ - ૨ જાન્યુઆરી ૧૯૬૨) જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમણે ગદ્યકથા, બાળવાર્તા તથા બાળકાવ્યનું પણ સર્જન કર્યું હતું.

પ્રહલાદ પારેખ
જન્મપ્રહલાદ જેઠાલાલ પારેખ
(1911-10-22)22 October 1911
ભાવનગર
મૃત્યુ2 January 1962(1962-01-02) (ઉંમર 50)
વ્યવસાયકવિ, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન
નોંધપાત્ર સર્જનોબારી બહાર (૧૯૪૦)

જીવન ફેરફાર કરો

એમનો જન્મ ભાવનગર શહેરમાં ૨૨ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ થયો હતો.[૧]

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શ્રી દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં પૂર્ણ કર્યા પછી તેમણે ગૂજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખાતે અભ્યાસ કર્યો હતો. આ સમયે રવિન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં એમણે કવિતાલેખનની શરૂઆત કરી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમણે શિક્ષક તરીકે કારકિર્દી સ્વીકારી હતી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાય પછી બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી તેમના અવસાન સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યા હતા. તેમણે સ્વતંત્રતાની લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના કારણે એમને જેલમાં પણ જવું પડ્યું હતું.

એમનું અવસાન ૨ જાન્યુઆરી, ૧૯૬૨ના દિવસે થયું હતું.

સર્જન ફેરફાર કરો

  • કાવ્યસંગ્રહો: બારી બહાર (૧૯૪૦), સરવાણી (૧૯૪૮)
  • ગદ્યકથાઓ: ગુલાબ અને શિવલી (૧૯૩૮), રૂપેરી સરોવરને કિનારે (૧૯૬૨)
  • અનુવાદ: અજાણીનું અંતર
  • પરિચયપુસ્તિકા: શિસ્તની સમસ્યા (૧૯૬૨)
  • બાળવાર્તાઓ રાજકુમારની શોધમાં, કરુણાનો સ્વયંવર
  • બાળકાવ્યો: તનમનિયાં

તેમનો બારી બહાર કાવ્યસંગ્રહ ગુજરાતી કવિતામાં એક નવો પ્રવાહ શરૂ કરનાર ગણાય છે.[૨][૩] ગુજરાતી લેખક અને વિવેચક મનસુખલાલ ઝવેરી તેમના હિસ્ટરી ઓફ ગુજરાત લિટરેચરમાં નોંધે કે પ્રહલાદ પારેખની કવિતાઓમાં દુːખનો અદ્રશ્ય પ્રવાહ છે.[૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. કોઠારી, જયંત; અંજારિયા, સુધા, સંપાદકો (1997). રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા (પ્રથમ આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧૧૨–૧૧૩. ISBN 81-7227-030-5. OCLC 499764385.
  2. Rabindranath Tagore (1988). Rabindranath Tagore: a 125th birth anniversary volume. Govt. of West Bengal, Dept. of Information & Cultural Affairs. પૃષ્ઠ 50.
  3. Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 388. ISBN 978-81-260-1803-1.
  4. Mansukhlal Maganlal Jhaveri (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 216–217. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો