પ્રીતિલતા વાડ્ડેદાર (૫ મે ૧૯૧૧ - ૨૩ સપ્ટેમ્બર ૧૯૩૨) [૧] ભારતીય ઉપખંડના એક બંગાળી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા, જેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રભાવશાળી હતા.[૨][૩] ચિત્તાગોંગ અને ઢાકામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે કોલકાતાની બેથુન કૉલેજમાં અભ્યાસ કર્યો અને ફિલોસોફીમાં સ્નાતક થયા. તેણી કન્ટ્રી ક્લબમાં ગોળી ચલાવી ૫ વ્યક્તિઓની હત્યા અને ૭ને ઈજા પહોંચાડવાના ક્રાંતિકારી પરાક્રમ માટે જાણીતી છે.

પ્રીતીલતા વાડ્ડેદાર
જન્મની વિગત(1911-05-05)5 May 1911
ધાલઘાટ, પતિયા, ચિત્તાગોંગ, બંગાલ પ્રાંત, બ્રિટિશ ભારત
(હવે બાંગ્લાદેશ)
મૃત્યુની વિગત23 September 1932(1932-09-23) (ઉંમર 21)
ચિત્તાગોંગ, બંગાલ પ્રાંત, બ્રિટિશ ભારત
(હવે બાંગ્લાદેશ)
મૃત્યુનું કારણપોટેશિયમ સાઈનાઈડ ખાઈને આત્મહત્યા
હુલામણું નામરાની
જન્મ સમયનું નામপ্রীতিলতা ওয়াদ্দেদার
નાગરીકતાબ્રિટિશ ભારતીય
વ્યવસાયશિક્ષક
માતા-પિતાપ્રતિભાદેવી અને જગતબંધૂ વાડ્ડેદાર

શિક્ષિકા તરીકેના ટૂંકા ગાળાના વ્યવસાય પછી, પ્રીતિલતા સૂર્ય સેનના નેતૃત્વ હેઠળના ક્રાંતિકારી જૂથમાં જોડાયા. તેમણે ઈ.સ. ૧૯૩૨માં પહાર્તલી યુરોપિયન ક્લબ પરના હુમલામાં [૪] પંદર ક્રાંતિકારીઓની ટુકડીનું નેતૃત્વ કર્યું.[૫] [૬] આ ક્લબ બહાર પાટીયા પર લખેલું હતું કે "કૂતરાઓ અને ભારતીયોને પ્રવેશ નથી".[૭] ક્રાંતિકારીઓએ આ ક્લબને સળગાવી દીધી હતી અને બાદમાં તેમને અંગ્રેજ પોલીસે પકડ્યા હતા. ધરપકડથી બચવા માટે, પ્રીતિલતાએ સાયનાઇડનું સેવન કર્યું અને તેમનું મૃત્યુ થયું.[૮]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

 
પ્રીતિલતાનું મેટ્રિક પરીક્ષા પ્રમાણપત્ર

પ્રીતિલતાનો જન્મ (હાલના બાંગ્લાદેશ)ના ચિત્તાગોંગના પતિયા ઉપજિલ્લાના ધલાઘાટ જિલ્લામાં થયો હતો.[૯][૧૦] વાડ્ડેદાર એ કુટુંબના પૂર્વજને આપવામાં આવેલું એક બિરુદ હતું, તેમની મૂળ અટક દાસગુપ્તા હતી. તેમના પિતા જગબન્ધુ વાડ્ડેદાર ચિત્તાગોંગ નગરપાલિકામાં કારકુન હતા.[૨] તેમની માતા પ્રતિભામયી દેવી ગૃહિણી હતી.[૧૧] આ દંપત્તીને મધુસૂદન, પ્રીતિલતા, કનકલાતા, શાંતિલતા, આશાલતા અને સંતોષ નામના છ સંતાનો હતા. પ્રીતિલતાનું ઉપનામ રાની હતું.

જગબંધૂએ તેમના બાળકો માટે સંભવિત શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો. પ્રિતિલાતાને ચિત્તાગોંગ ની ડૉ ખસ્તગીર સરકારી કન્યા શાળામાં દાખલ કરવામાં આવ્યા. પ્રીતિલતા એક હોશિયાર વિદ્યાર્થીની હતા.[૧૨] શાળાના એક લોકપ્રિય શિક્ષક, ઉષા દી, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની પ્રેરણા આપવા માટે રાણી લક્ષ્મીબાઈની વાર્તા કહેતા હતા. પ્રીતિલતાના વર્ગની વિદ્યાર્થીની કલ્પના દત્ત ચિત્તાગોંગ શસ્ત્રાગારના દરોડાખોર નામના જીવનચરિત્રમાં લખે છે - "અમારા ભવિષ્ય વિશે શાળાના દિવસોમાં અમને કોઈ સ્પષ્ટ વિચાર નહોતો. પછી ઝાંસીની રાણીએ તેમના ઉદાહરણથી અમારી કલ્પનાને ચિંગારી આપી. કેટલીકવાર અમે પોતાને નિર્ભય માનતા... ".[૧૩] કલા અને સાહિત્ય એ પ્રીતિલતાનો પ્રિય વિષય હતો.[૧૪] તેમણે ૧૯૨૮ માં ડૉ ખસ્તગીર સરકારી કન્યા શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૨૯ માં, તેમને ઈડન કોલેજ, ઢાકામાં પ્રવેશ મળ્યો. વચગાળાની પરીક્ષાઓમાં, તેઓ પરીક્ષામાં ઢાકામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા.[૧૫] એડન કોલેજમાં વિદ્યાર્થી તરીકે, તેમણે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ દિપાલી સંઘના બેનર હેઠળ લીલા નાગના નેતૃત્વ હેઠળના શ્રી સંઘના જૂથમાં જોડાયા.[૭]

કલકત્તામાં ફેરફાર કરો

ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, પ્રીતિલતા કલકત્તા (હાલ કોલકાતા) ગયા અને બેથુન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી, તેમણે કૉલેજમાંથી ફિલોસોફીમાં સ્નાતક થયા.[૧૬] જોકે, કલકત્તા યુનિવર્સિટીમાં અંગ્રેજ અધિકારીઓએ તેમની ડિગ્રી રોકી હતી. ઈ. સ. ૨૦૧૨ માં, તેમને (અને બીના દાસ ) મરણોત્તર તેમના યોગ્યતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.[૩]

શાળા શિક્ષક તરીકે ફેરફાર કરો

કલકત્તામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, પ્રીતિલતા ફરી ચિત્તાગોંગ ગયા. ચિત્તાગોંગમાં, તેમણે નંદનકાનન અપર્ણાચરણ સ્કૂલ નામની સ્થાનિક અંગ્રેજી માધ્યમ માધ્યમિક શાળામાં મુખ્ય શિક્ષિકાની નોકરી લીધી.[૭][૧૫][૧૭]

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ફેરફાર કરો

સૂર્ય સેનના ક્રાંતિકારી જૂથમાં જોડાતા ફેરફાર કરો

"પ્રીતિલત્તા યુવાન અને બહાદૂર હતા. તેઓ ખૂબ ઉત્સાહ થી કાર્ય કરતા અને અંગ્રેજોને હાંકી કાઢવા પ્રતિબદ્ધ હતા."

બિનોદ બિહારી ચૌધરી , સમકાલીન ક્રાંતિકારી[૧૮]

પ્રીતિલતાએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું. સૂર્ય સેને તેમના વિશે સાંભળ્યું હતું અને ઇચ્છતા હતા કે તેઓ તેમના ક્રાંતિકારી જૂથમાં જોડાય.[૧૮] ૧૩ જૂન ૧૯૩૨ ના દિવસે, પ્રીતિલતા ધલઘાટ શિબિરમાં સૂર્ય સેન અને નિર્મલ સેનને મળ્યા.[૧૧] ત્યારના સમકાલીન ક્રાંતિકારી, બિનોદ બિહારી ચૌધરીએ મહિલાઓને તેમના જૂથમાં જોડાવા દેવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, પ્રીતાલતાને આ જૂથમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે ક્રાંતિકારીઓએ દલીલ કરી હતી કે હથિયાર વહન કરતી મહિલાઓ પુરુષો જેટલી શંકાને આકર્ષિત કરશે નહીં.

રામકૃષ્ણ બિશ્વાસ તરફથી પ્રેરણા ફેરફાર કરો

સૂર્ય સેન અને તેના ક્રાંતિકારી જૂથે ચિત્તાગોંગના મહાનિરીક્ષક ક્રેગની હત્યા કરવાનો નિર્ણય કર્યો. આ કાર્ય રામકૃષ્ણ બિશ્વાસ અને કાલિપદ ચક્રવર્તીને સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ ભૂલથી ક્રેગને બદલે ચાંદપુરના એસ.પી. અને તારિની મુખર્જીની હત્યા કરી હતી. રામકૃષ્ણ બિસ્વાસ અને કાલિપદ ચક્રવર્તીની ૨ ડિસેમ્બર ૧૯૩૧ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી.[૧૯] સુનાવણી બાદ બિશ્વાસને ફાંસી આપવાનો અને ચક્રવર્તીને સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.[૨૦]

ચિત્તાગોંગથી કલકત્તાની એલીપોર જેલ સુધી મુસાફરી કરવા માટે જરૂરી રકમની રકમ પરિવાર અને મિત્રો પાસે નહોતી. તે સમયે પ્રીતિલતા કોલકાતામાં રોકાયેલી હોવાથી, તેમને અલીપોર જેલમાં જઇને રામકૃષ્ણ બિસ્વાસને મળવાનું કહેવામાં આવ્યું.[૨૦]

સૂર્ય સેનના જૂથમાં પ્રવૃત્તિઓ ફેરફાર કરો

સૂર્ય સેનના ક્રાંતિકારી જૂથ સાથે, પ્રીતિલતાએ ટેલિફોન અને ટેલિગ્રાફ ઓફિસમાં પર હુમલા અને અનામત પોલીસ સંપર્ક તારો તોડવા જેવા ઘણા હુમલાઓમાં ભાગ લીધો હતો [૯]

પહાર્તલી યુરોપિયન ક્લબ હુમલો (૧૯૩૨) ફેરફાર કરો

 
પહાર્તલી યુરોપિયન ક્લબ (અહીં ૨૦૧૦માં બતાવેલ) ક્રાંતિકારીઓના જૂથ દ્વારા સળગાવી દેવામાં આવી હતી.

ઈ.સ. ૧૯૩૨ માં, સૂર્યા સેને પહાર્તલી યુરોપિયન ક્લબ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ ક્લબ બહાર પાટીયા પર લખેલું હતું કે "કૂતરાઓ અને ભારતીયોને પ્રવેશ નથી".[૨૧] સૂર્ય સેને આ અભિયાન માટે મહિલા નેતાની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો. ઘટનાના સાત દિવસ પહેલા કલ્પના દત્તની ધરપકડ કરવામાં આવી હતી. આને કારણે, પ્રીતિલતાને હુમલાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. પ્રિતિલાતા હથિયારોની તાલીમ માટે કોટોવાલી સી સાઇડ ગયા અને ત્યાં તેમના હુમલાની યોજના બનાવી.[૧૫]

તેઓએ ૨૩ સપ્ટેમ્બર ૧૯૩૨ ના દિવસે ક્લબ પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. જૂથના સભ્યોને પોટેશિયમ સાયનાઇડ આપવામાં આવ્યા હતા અને જો તેઓ પકડાય તો તેને ગળી જવા જણાવ્યું હતું.[૭]

હુમલાના દિવસે, પ્રીતિલતાએ એક પંજાબી પુરુષની વેશભૂષા કરી. તેમના સાથીઓ કાલીશંકર ડે, બિરેશ્વર રોય, પ્રફુલ્લ દાસ, શાંતિ ચક્રવર્તીએ ધોતી અને શર્ટ પહેર્યા હતા. મહેન્દ્ર ચૌધરી, સુશીલ દે અને પન્ના સેને લુંગી અને શર્ટ પહેર્યા હતા.[૨૦]

તેઓ લગભગ ૧૦:૪૫ વાગ્યે ક્લબ પહોંચ્યા અને હુમલો શરૂ કર્યો. તે સમયે ક્લબની અંદર લગભગ ૪૦ લોકો હતા. આ ક્રાંતિકારીઓએ આ હુમલા માટે પોતાને ત્રણ અલગ જૂથોમાં વહેંચ્યા. ક્લબમાં, રિવોલ્વર ધરાવતા કેટલાક પોલીસ અધિકારીઓએ ગોળી ચલાવવાનું શરૂ દીધું હતું. પ્રીતિલતાને એક જ ગોળીનો ઘા થયો. પોલીસ રિપોર્ટ અનુસાર આ હુમલામાં સુલિવાન અટકવાળી એક મહિલાનું મોત નીપજ્યું હતું અને ચાર પુરુષો અને સાત મહિલાઓને ઈજાઓ પહોંચી હતી.[૨૦]

મૃત્યુ ફેરફાર કરો

 
આ જગ્યાએ પ્રીતિલતાએ આત્મહત્યા કરી. હવે ત્યાં તેની યાદમાં એક તકતી છે.

ઇજાગ્રસ્ત પ્રીતિલતાને અંગ્રેજ પોલીસે ઘેરી લીધી હતી.[૨]ધરપકડ ન થાય તે માટે તેઓ સાયનાઇડ ગળી ગયા.[૧૮] બીજા જ દિવસે પોલીસે તેમનો મૃતદેહ શોધી કાઢ્યો અને તેમની ઓળખ કરી. તેમના મ્રતદેહની તલાશી લેતાં પોલીસને થોડા પત્રિકાઓ, રામકૃષ્ણ વિશ્વાસના ફોટોગ્રાફ, ગોળીઓ, સિસોટી અને તેમના હુમલાની યોજનાનો મુસદ્દો મળ્યો. પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળ્યું કે ગોળીની ઈજા ખૂબ ગંભીર ન હતી અને સાયનાઇડનું ઝેર તેમના મૃત્યુનું કારણ હતું.[૨૦]

બંગાળના મુખ્ય સચિવે લંડનમાં બ્રિટિશ અધિકારીઓને રિપોર્ટ મોકલ્યો. અહેવાલમાં તે લખ્યું હતું– [૨૨]

પ્રીતીલતા વાડ્ડેદાર, ઈન્સ્પેક્ટર તારિની મુખર્જીની હત્યા બદલ ફાંસીની સજા પામનાર સ્વતંત્રતા સેનાની બિશ્વાસથી ખૂબ નજીક હતા. અલબત્ તેઓ તેમની સંગીની ન હતા અને અમુક અહેવાલો દર્શાવે છે કે તેઓ નિર્મલ સેનના પત્ની હતા જેઓ ધાલઘાટની ધરપકડથી બચવા જતા માર્યા ગયા હતા, જ્યાં કેમ્પ્ટરન કેમેરોન મૃત્યુ પામ્યા હતા.

પ્રભાવ ફેરફાર કરો

 
પ્રીતિલતા વાડ્ડેદાર પ્રાથમિક શાળા, ચિત્તાગોંગ ખાતેની પ્રતિમા

બાંગ્લાદેશની લેખિકા સેલિના હુસેન પ્રીતિલતાને દરેક સ્ત્રી માટે આદર્શ કહે છે.[૨૩] તેમની યાદમાં બિરકન્યા પ્રીતિલતા ટ્રસ્ટ (બહાદુર મહિલા પ્રીતિલતા ટ્રસ્ટ) નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્રીતિલતાનો જન્મદિવસ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બાંગ્લાદેશ અને ભારતના જુદા જુદા સ્થળોએ ઉજવવામાં આવે છે. ટ્રસ્ટ તેમને "મહિલાઓ માટેની મશાલ" તરીકે માને છે.[૨૪] સાહિદ અબ્દુસ સબુર રોડના અંતિમ છેડેથી ચિત્તાગોંગના બોઆલાલી ઉપજિલ્લા મુકુંડા રામ હાટ સુધીના રસ્તાનું નામ પ્રીતિલતા વાડ્ડેદાર રોડ રાખવામાં આવ્યું છે.[૨૫] ૨૦૧૨ માં, ઐતિહાસિક યુરોપિયન ક્લબની બાજુમાં, પહાર્તલી રેલ્વે સ્કૂલની સામે, પ્રીતિલતા વાડ્ડેદારનું કાંસાનું શિલ્પ બનાવવામાં આવ્યું હતું.[૨૬] [૨૭]

વાડ્ડેદારની મોટી-ભત્રીજી એ બ્રિટીશ પત્રકાર અને કાર્યકર એશ સરકાર છે.[૨૮]

વારસો ફેરફાર કરો

  • પ્રીતિલતા વાડ્ડેદાર મહાવિદ્યાલય, નાદિયા જિલ્લામાં આવેલી એક કૉલેજ.
  • પ્રીતિલતા શહીદ મીનાર
  • પ્રીતિલતા હોલ, ચિત્તાગોંગ વિશ્વવિદ્યાલય
  • પ્રીતિલતા હોલ, જહાંગીરનગર યુનિવર્સિટી
  • પ્રીતિલતા વાડ્ડેદાર પ્રાથમિક શાળા, ચિત્તાગોંગ
  • ખાંટુરા પ્રીતિલતા શિક્ષા નિકેતન (બોય્સ (એચ. એસ.), ગર્લ્સ (એચ. એસ.) અને પ્રાથમિક વિભાગ), ત્રણ શાળાઓ, ગોબરદંગા, પશ્ચિમ બંગાળ, ભારત
  • નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી, દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ, ભારતના પ્રીતિલતા વાડ્ડેદાર ઑલ ગર્લ્સ હોસ્ટેલ

લોકપ્રિય માધ્યમોમાં ફેરફાર કરો

  • ૨૦૧૦ ની બોલિવૂડ મૂવી ખેલે હમ જી જાન સે ચિત્તાગોંગ ક્રાંતિ પર આધારિત હતી, તેમાં વિશાખા સિંહે પ્રીતિલતાનું પાત્ર ભજવ્યું હતું.[૨૯] [૩૦]
  • ૨૦૧૨ માં, હિન્દી ફિલ્મ ચિત્તાગોંગ રજૂ થઈ હતી. વેગા તમોટીયાએ તેમાં વાડ્ડેદારની ભૂમિકા ભજવી હતી.[૩૧]
  • મહિલાઓની મતાધિકારની સો વર્ષગાંઠ નિમિત્તે બી.બી.સી. એ એક સિરીઝ બવાવી હતી જેનું નામ સ્નેચીસ: મોમેન્ટ્સ ફ્રોમ વિમેન લાઇવ્સ હતું. તેના એક ભાગરૂપે ૨૦૧૮ માં, કિરણ સોનિયા સાવરે 'પ્રીતિલતા'ના જીવન પર 'હીઅર હર' નામનું એક પાત્રી નાટક કર્યું હતું. આ ફિલ્મ તાનિકા ગુપ્તાએ લખી હતી.

છબીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Pritilata's 100th birthday today". The Daily Star. 5 May 2011. મેળવેલ 18 December 2012.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Pritilata Waddedar (1911–1932)". News Today. મૂળ માંથી 26 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.
  3. ૩.૦ ૩.૧ "After 80 yrs, posthumous degrees for revolutionaries". The Times of India. 22 March 2012. મેળવેલ 18 December 2012.
  4. Geraldine Forbes (28 April 1999). Women in Modern India. Cambridge University Press. પૃષ્ઠ 140–. ISBN 978-0-521-65377-0.
  5. "Remembering the Legendary Heroes of Chittagong". NIC. મેળવેલ 6 January 2013.
  6. "Indian Independence" (PDF). મૂળ (PDF) માંથી 19 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2013.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ Amin, Sonia (2012). "Waddedar, Pritilata". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
  8. Craig A. Lockard (1 January 2010). Societies, Networks, and Transitions: A Global History: Since 1750. Cengage Learning. પૃષ્ઠ 699–. ISBN 978-1-4390-8534-9. મેળવેલ 18 December 2012.
  9. ૯.૦ ૯.૧ "A fearless female freedom-fighter". Rising Stars. The Daily Star. મૂળ માંથી 7 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012. Check date values in: |archive-date= (મદદ)
  10. "Pritilata's birth anniversary observed at CU". New Age. મૂળ માંથી 29 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2012.
  11. ૧૧.૦ ૧૧.૧ "Agnijuger Agnikanya Pritilata". BDNews (Bengaliમાં). 5 May 2011. મૂળ માંથી 17 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2012. Check date values in: |archive-date= (મદદ)
  12. Pritilata (Bengaliમાં). Prometheus er pothe. 2008. પૃષ્ઠ 15.
  13. Kalpana Dutt (1979). Chittagong Armoury raiders: reminiscences. Peoples' Pub. House. પૃષ્ઠ 46.
  14. Manini Chatterjee (1999). Do and die: the Chittagong uprising, 1930–34. Penguin Books. પૃષ્ઠ 180. ISBN 978-0-14-029067-7.
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ "The Fire-Brand Woman Of Indian Freedom Struggle". Towards Freedom. મૂળ માંથી 18 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.
  16. S. S. Shashi (1996). Encyclopaedia Indica: India, Pakistan, Bangladesh. Anmol Publications. પૃષ્ઠ 135. ISBN 978-81-7041-859-7.
  17. "CCC plans to house 2 girls' schools in commercial complex". The Daily Star. 31 January 2009. મેળવેલ 18 December 2012.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ "A Long Walk to Freedom". Star Weekend Magazine. The Daily Star. મૂળ માંથી 27 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.
  19. Reva Chatterjee (2000). Netaji Subhas Bose. Ocean Books. પૃષ્ઠ 2–. ISBN 978-81-87100-27-0.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ Pal, Rupamay (1986). Surjo Sener Sonali Swapno. Kolkata: Deepayan. પૃષ્ઠ 162.
  21. "80th death anniversary of Pritilata observed". News Age. મૂળ માંથી 25 July 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.
  22. "Fortnightly Reports on Bengal, for the second half of September 1932, GOI Home Poll No. 18/1932". 1932. Cite journal requires |journal= (મદદ)
  23. "Contribution of Pritilata recalled". The Daily Star. 1 June 2011. મેળવેલ 18 December 2012.
  24. "A beacon of light for women". The Daily Star. 26 September 2012. મેળવેલ 18 December 2012.
  25. "Road named after Pritilata in Ctg". The New Nation. 18 December 2012. મૂળ માંથી 3 February 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.
  26. "Pritilata's bronze sculpture to be installed in port city". The Daily Star. 2 October 2012. મેળવેલ 20 August 2015.
  27. "Pritilata's memorial sculpture unveiled in Ctg". The Daily Star. 3 October 2012. મૂળ માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 20 August 2015.
  28. Sarkar, Ash (2018-02-05). "My great-great-aunt was a terrorist: women's politics went beyond the vote". The Guardian (અંગ્રેજીમાં). મેળવેલ 2018-07-12.
  29. "Young rebels". Business Standard. મેળવેલ 18 December 2012.
  30. "The veer Konna of Chittagong". The Telegraph (Calcutta). મૂળ માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2012.
  31. "Manoj Bajpayee, back in the limelight". Screen India. મૂળ માંથી 10 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012.