કારેલી (તા.જંબુસર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કારેલી (તા.જંબુસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે. કારેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કારેલી
—  ગામ  —
કારેલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′N 72°48′E / 22.05°N 72.8°E / 22.05; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો જંબુસર તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી,

કેળાં, ડાંગર

ઇતિહાસમાં ઉલ્લેખ ફેરફાર કરો

ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રા આ ગામમાં થઈ પસાર થઈ હતી. હોડીમાં મહીનદી પાર કરી કાદવમાંથી સ્વયંસેવકો મોડી રાત્રે આ ગામમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ જવાહ્રલાલ નહેરુ પહોંચ્યા હતા અને તેમણે કોંગ્રેસ કમિટી દ્વારા કરવાના કાર્યોની ચર્ચા કરી હતી. [૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.