ઘનશ્યામભાઈ ઓઝા
ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ – ૧૨ જૂલાઇ, ૨૦૦૨[૧]) ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાના સભ્ય હતા. પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. ૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ લોક સભાના સભ્ય રહ્યા. પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ રાજ્ય સભાના સભ્ય રહ્યા. ૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા.
ઘનશ્યામભાઈ ઓઝા | |
---|---|
ગુજરાતના ચોથા મુખ્યમંત્રી | |
પદ પર ૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩ | |
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | ચીમનભાઈ પટેલ |
અંગત વિગતો | |
જન્મ | ૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ ઉમરાળા, ગુજરાત, ભારત |
મૃત્યુ | ૧૨ જુલાઇ, ૨૦૦૨ અમદાવાદ, ગુજરાત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રમાલક્ષ્મી |
નોંધફેરફાર કરો
- ↑ "Ex CM Ghanshyam Oza passes away". The Times of India. ૧૩ જુલાઇ ૨૦૦૨. મૂળ માંથી 2012-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૦૯.
બાહ્ય કડીઓફેરફાર કરો
- http://www.aol.in/news/story/2007122307399012000013/
- http://www.mapsofindia.com/gujarat/government-and-politics/ સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન
- OZA, SHRI GHANSHYAMBHAI[હંમેશ માટે મૃત કડી]ે
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |