ઉમરાળા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉમરાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનું મુખ્ય મથક છે.

ઉમરાળા
ગામ
ઉમરાળા is located in ગુજરાત
ઉમરાળા
ઉમરાળા
ઉમરાળા is located in India
ઉમરાળા
ઉમરાળા
અક્ષાંશ-રેખાંશ: 21°50′41″N 71°48′23″E / 21.844856°N 71.806476°E / 21.844856; 71.806476
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૮૦૪૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૬૪૩૩૦
ટેલિફોન કોડ+૯૧-૨૮૪૩૩

ઉમરાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં કાળુભાર નદી કિનારે આવેલ શિવાલય પ્રખ્યાત છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Umrala Population Census 2011". મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.