મહી કાંઠા એજન્સી એક રાજકીય એજન્સી અથવા બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગ હેઠળ બ્રિટીશ ભારતમાં રજવાડાઓનો એક સમૂહ હતો. ૧૯૩૩માં, મહી કાંઠા એજન્સીના દાંતા સિવાયના રાજ્યો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં સામેલ થયા.[૧] ૧૯૦૧ની સાલમાં એજન્સીનો કુલ વિસ્તાર 8,094 km2 (3,125 sq mi) હતો અને વસ્તી ૩૬૧,૫૪૫ હતી.

મહી કાંઠા એજન્સી
બ્રિટિશ ભારતની એજન્સી
૧૮૨૦–૧૯૩૩

ગુજરાતમાં મહી કાંઠા એજન્સી
રાજધાનીસાદરા
વિસ્તાર 
• 1901
8,094 km2 (3,125 sq mi)
વસ્તી 
• 1901
361545
ઇતિહાસ 
• સ્થાપના
૧૮૨૦
૧૯૩૩
પછી
વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી

ઇતિહાસ ફેરફાર કરો

૧૮૦૩-૧૮૦૫ ના બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ પછી આ પ્રદેશના રાજ્યો બ્રિટીશ પ્રભાવમાં આવ્યા હતા. ૧૮૧૧માં જ્યારે મરાઠા સત્તા ઘટી રહી હતી ત્યારે બ્રિટિશ સરકારે વડોદરા રાજ્યને માધ્યમ બનાવ્યું અને મહી કાંઠા એજન્સીના રાજ્યોનો વાર્ષિક વેરો ઉઘરાવી વાર્ષિક દરે બ્રિટિશરોને આપવાનો કરાર કર્યો. ૧૮૨૦માં, બ્રિટીશરોએ સંપૂર્ણક્ષેત્રના વહીવટને પોતાના હસ્તક લીધો. વડોદરાને વિના મૂલ્યે વેરો એકત્રિત કરવાનો પરવાનો મળ્યો બદલામાં વડોદરા એ દેશના અન્યક્ષેત્રોમાં સૈન્ય ન મોકલવાનો, અને વહીવટમાં કોઈ હસ્તક્ષેપ ન કરવા સંમત થયું. ૧૮૩૦, ૧૮૫૭-૫૮ અને ૧૮૬૭માં સમગ્ર ભારતમાં બ્રિટીશ શાસન વિરુદ્ધ અડચણો ઊભી થઈ પરંતુ ૧૮૮૧ સુધી આ પ્રદેશ તદ્દન શાંત અને સુરક્ષિત રહ્યો. જોકે, ૧૮૮૧ સુધીમાં વિજયનગર રાજ્યના સ્થાનિક ભીલોએ તેમના શાસકો વિરુદ્ધ બળવો જાહેર કર્યો અને તેમને હાંકી કાઢ્યા.[૨]

મહી કાંઠામાં ૧૮૯૯-૧૭૯૭ ના દુષ્કાળમાં ભારે આંચકો લાગ્યો હતો, અને દુષ્કાળને કારણે એજન્સીની વસ્તી ૧૮૯૧-૧૯૦૧ ના દાયકામાં ૩૮% ઘટી હતી. તેમાંના ઘણા લોકો ભીલ અને કોળી હતા. ૧૮૯૭ માં એક મીટર ગેજ રેલવેલાઈન અમદાવાદથી આંબલિયારા રાજ્ય પાસેના પ્રાંતિજ થઈને અહમદનગર સુધી લંબાવવામાં આવી હતી. સાદરા ખાતે બ્રિટિશ પબ્લિક સ્કૂલની તર્જ પર શાસકોના સંતાનોના શિક્ષણ માટે સ્કોટ કોલેજ હતી. સાદરા, માણસા અને ઇડર ખાતે અંગ્રેજી ભાષાની શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

અનુગામી અધિકારક્ષેત્રો ફેરફાર કરો

૧૯૩૩માં ૧૯૨૫ સુધી પાલનપુર એજન્સી તરીકે ઓળખાતી બનાસકાંઠા એજન્સી અને મહી કાંઠા એજન્સીઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે પાલનપુર રાજ્યને રાજપૂતાના એજન્સીમાં સોંપવામાં આવ્યું હતું અને આમ તે નવી બનાવેલી એજન્સીનો ભાગ ન હતું.

૧૯૪૭ માં ભારતની આઝાદી પછી, મહીકાંઠા એજન્સીના શાસકોએ ભારત સરકારને સ્વીકૃતિ આપી, અને આ વિસ્તારને બૃહદ મુંબઈ રાજ્યના જિલ્લાઓમાં પુનઃગઠિત કરવામાં આવ્યો. ૧૯૬૦માં, મુંબઈ રાજ્ય ભાષાકીય આધાર પર વિભાજીત થયું, અને મહીકાંઠાનો વિસ્તાર ગુજરાતના નવા રાજ્યનો ભાગ બન્યો.

રજવાડાઓની યાદી ફેરફાર કરો

 
મહી કાંઠા એજન્સીમાં રાજ્યો અને થાણા

રાજ્યો નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા:

સલામી રાજ્યો ફેરફાર કરો

પ્રથમ વર્ગના રાજ્યો ફેરફાર કરો

  • ઇડર (શૈલી (મહા) રાજા), ૧૫-તોપોની સલામી ધરાવતું રાજ્ય, એજન્સીના અડધાથી વધુ વિસ્તારને આવરી લે છે.

દ્વિતીય વર્ગના રાજ્યો ફેરફાર કરો

  • દાંતા (શૈલી મહારાણા), ૧૧ તોપોની સલામી ધરાવતું રાજ્ય

બિન-સલામી રાજ્યો ફેરફાર કરો

ત્રીજા વર્ગના રાજ્યો ફેરફાર કરો

ચોથા વર્ગના રાજ્યો ફેરફાર કરો

પાંચમા વર્ગના રાજ્યો ફેરફાર કરો

  • આગલોડ
  • ડાભા
  • દધાલિયા
  • ગેડ
  • મગોડી
  • રૂપાલ
  • સાઠંબા
  • તુનાદર
  • વલાસણા
  • વાસણા
  • વડાગામ

છઠ્ઠા વર્ગના રાજ્યો ફેરફાર કરો

 
મહી કાંઠા એજન્સી, ૧૮૭૮

સાતમા વર્ગના રાજ્યો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Arnold Wright ed. Indian States: A Biographical, Historical, and Administrative Survey. 1922.
  2. William Lee-Warner, The Native States Of India (1910)
  •   આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Mahi Kantha". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 17 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 396.CS1 maint: ref=harv (link)