રાણકી વાવ

પાટણ, ગુજરાતમાં આવેલી સોલંકી યુગની વાવ

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

રાણકી વાવ
રાણકી વાવ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામરાણી-કી-વાવ, પાટણ, ગુજરાત
સ્થળપાટણ, પાટણ તાલુકો, ભારત
અક્ષાંસ-રેખાંશ23°51′32″N 72°6′6″E / 23.85889°N 72.10167°E / 23.85889; 72.10167
વિસ્તાર4.68, 125.44 ha (504,000, 13,502,000 sq ft)
માપદંડસાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (iv) Edit this on Wikidata[૧]
સંદર્ભ922
સમાવેશ૨૦૧૪ (અજાણ્યું સત્ર)
રાણકી વાવ is located in ગુજરાત
રાણકી વાવ
Location of રાણકી વાવ
રાણકી વાવ is located in ભારત
રાણકી વાવ
રાણકી વાવ (ભારત)

ઇતિહાસ ફેરફાર કરો

 
વિશ્વ વિરાસત તકતી

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ ના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨][૩][૪]

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય ફેરફાર કરો

રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.

નિરૂપણ ફેરફાર કરો

ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.[૫]

છબીઓ ફેરફાર કરો

 
શિલ્પ સાથેની દિવાલ
 
શિલ્પ સાથેની દિવાલ
 
કોતરણી વાળા સ્થંભો

સંદર્ભ ફેરફાર કરો

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. "રાણકી વાવ". www.siddhpur.com. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭.
  3. "Rani-ki-Vav (the Queen's Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre". whc.unesco.org (અંગ્રેજીમાં). મેળવેલ 2015-12-05.
  4. Shastri, Hariprasadji (1976). Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iii Itihasni Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iv Solanki. પૃષ્ઠ 136–237.
  5. "RBI to Issue New Design ₹ 100 Denomination Banknote". rbi.org.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-07-19.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

પૂરક વાચન ફેરફાર કરો

  • Jutta Jain Neubauer: The Stepwells of Gujarat. An Art-historical Perspective. Abhinav Publications, 1981, ISBN 0-391-02284-9.
  • Morna Livingston, Milo C. Beach: Steps to Water. The Ancient Stepwells of India. Princeton Architectural Press, 2002, ISBN 1-56898-324-7.