વીરથવા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વીરથવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. ડુંગરાળ વિસ્તારમાં અને ગાઢ જંગલમાં આવેલા વીરથવા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે, જેમાં મુખ્યત્વે ગામિત જાતિના લોકો છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, આશ્રમશાળા, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન

વીરથવા
—  ગામ  —
વીરથવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°09′59″N 73°33′52″E / 21.166359°N 73.564505°E / 21.166359; 73.564505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો સોનગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

જેવાં કાર્યો કરે છે.

અંહી આવેલી આશ્રમશાળામાં ખજુરીનું વન ઊભું કરવામાં આવ્યું છે, જેમાંથી નીરાનું ઉત્પાદન મળે છે. અંહીની સ્વરાજ આશ્રમ, આહવા દ્વારા સંચાલિત આશ્રમશાળામાં ખેતીવાડીના વિષયને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત બુનિયાદી શિક્ષણ મળે છે.

આ ગામની બાજુમાંથી ગિરા નદી પસાર થાય છે, આ નદી પુર્ણા નદી (ગુજરાત)ની ઉપનદી છે.

આ ગામ આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલું છે. વળી સોનગઢથી ઓટા જતો માર્ગ પણ અંહીથી એકાદ કિલોમિટર દક્ષિણ દિશામાં જતાં મળી જાય છે. તાલુકામથક સોનગઢ અહીં થી આશરે ૪૨ કિલોમીટર (વાયા ચિમેર) જેટલા અંતરે આવેલ છે.