શંખેશ્વર તાલુકો

ગુજરાતના પાટણ જિલ્લાનો તાલુકો

શંખેશ્વર તાલુકો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલો નવ પૈકીનો એક તાલુકો છે. શંખેશ્વર આ તાલુકાનું મુખ્ય મથક છે.

શંખેશ્વર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપાટણ
મુખ્ય મથકશંખેશ્વર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇતિહાસ ફેરફાર કરો

વર્ષ ૨૦૧૨માં થયેલી જાહેરાત મુજબ વાગડોદ તાલુકો રદ કરી દેવામાં આવ્યો અને જે ગામો પહેલા આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા તે ગામો સરસ્વતી તાલુકામાં ભેળવી દેવામાં આવ્યાં.[૧] પાટણ જિલ્લામાં મૂળ સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થતો હતો. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બાનાવવામાં આવ્યા[૨], સમી તાલુકાનું વિભાજન કરીને નવો શંખેશ્વર તાલુકો બનાવવામાં આવ્યો.[૩][૪]

જાણીતા સ્થળો ફેરફાર કરો

જૈન ધર્મનું અગત્યનું તીર્થ ધામ એવું શંખેશ્વર, ત્યાં આવેલા શંખેશ્વર પદમાવતી તીર્થ માટે પ્રખ્યાત છે.

શંખેશ્વર તાલુકાના ગામો ફેરફાર કરો

શંખેશ્વર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ભાસ્કર ન્યૂઝ. પાટણ (૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨). "સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે". સમાચાર. દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૫.
  2. ગુજરાત સમાચાર (૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨). "પાટણ: ત્રણ નવા તાલુકાની મોદીની જાહેરાત". સમાચાર. ગુજરાત સમાચાર. મૂળ સંગ્રહિત માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. ગુજરાત સમાચાર (લંડન) (૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "ગુજરાતમાં વધુ એક નવો જિલ્લો બનશે". સમાચાર. ABP Group (Gujarat Samachar and Asian Voice). મૂળ સંગ્રહિત માંથી 2015-12-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૫.
  4. "નરેન્દ્ર મોદીએ હવે જાહેરાત કરી પાટણ જિલ્લાના નવા ત્રણ તાલુકાની રચનાની". ગુજરાત મિડ-ડે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ સંગ્રહિત માંથી 2015-12-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૫.

બાહ્ય કડીઓ ફેરફાર કરો