કપલેથા (તા. ચોર્યાસી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(કપલેથા થી અહીં વાળેલું)
કપલેથા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું ગામ છે. કપલેથા ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
કપલેથા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ચોર્યાસી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
ઇતિહાસમાં ઉલ્લેખ ફેરફાર કરો
ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રા આ ગામમાં થઈ પસાર થઈ હતી. સત્યાગ્રહીઓને આ ગામની ભાગોળે વહેતી મીંઢોળા નદી પાર કરાવવા માટે ગામની હિન્દુ મુસ્લિમ લોકોએ પોતાના ગાડાંઓ નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. [૧]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.