ગુંદીયાળી (તા. માંડવી)
ગુંદીયાળી (તા. માંડવી) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ગુંદીયાળી (તા. માંડવી) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°50′09″N 69°25′10″E / 22.835700°N 69.419453°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/eb/Raval_Pir_Dada_at_Temple_near_Mandvi_Kutch.jpg/220px-Raval_Pir_Dada_at_Temple_near_Mandvi_Kutch.jpg)
ભુગોળ
ફેરફાર કરોઆ ગામ માંડવી નજીક દરિયાકિનારે આવેલું છે. ગામ ઊંચાઇ પર મોટી સંખ્યામાં વડના વૃક્ષો વડે ઘેરાયેલું છે.
ઇતિહાસ
ફેરફાર કરોઅહીં રાવલ પીરનું ૧૮૧૯માં (સંવત ૧૮૭૬) શેઠ સુંદરજી અને જેઠવા શિવજી દ્વારા પુન:નિર્માણ કરેલું પવિત્ર મંદિર આવેલું છે. રાવલ પીરનો જન્મ ૧૪મી સદીમાં તેમના માતાના હાથના ગૂમડાંમાંથી થયો હોવાનું કહેવાય છે. તેમણે જખૌ ખાતે ધીણોધર ટેકરી પર ધોરામનાથના દર્શનાર્થીઓને રંજાડતા મુસ્લિમ લૂંટારાઓને નષ્ટ કરીને નામના મેળવી હતી. તેઓ ત્યારબાદ દેરજ નામના દાલ રાજપૂતની સાથે ગુંદીયાળી આવ્યા અને રાઠોડોની સામે તેની મદદ કરી હતી. દર વર્ષે ઘણાં મુસ્લિમ અને હિંદુ શ્રદ્ધાળુઓ અહીં માનતા માનવા આવે છે અને પથ્થરના ઘોડાને ફૂલો ચડાવે છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૨.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |