ગુંદીયાળી (તા. માંડવી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ગુંદીયાળી (તા. માંડવી) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ગુંદીયાળી (તા. માંડવી)
—  ગામ  —
ગુંદીયાળી (તા. માંડવી)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°50′09″N 69°25′10″E / 22.835700°N 69.419453°E / 22.835700; 69.419453
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
રાવલ પીર

ભુગોળ ફેરફાર કરો

આ ગામ માંડવી નજીક દરિયાકિનારે આવેલું છે. ગામ ઊંચાઇ પર મોટી સંખ્યામાં વડના વૃક્ષો વડે ઘેરાયેલું છે.

ઇતિહાસ ફેરફાર કરો

 
રાવલ પીરનું મંદિર

અહીં રાવલ પીરનું ૧૮૧૯માં (સંવત ૧૮૭૬) શેઠ સુંદરજી અને જેઠવા શિવજી દ્વારા પુન:નિર્માણ કરેલું પવિત્ર મંદિર આવેલું છે. રાવલ પીરનો જન્મ ૧૪મી સદીમાં તેમના માતાના હાથના ગૂમડાંમાંથી થયો હોવાનું કહેવાય છે. તેમણે જખૌ ખાતે ધીણોધર ટેકરી પર ધોરામનાથના દર્શનાર્થીઓને રંજાડતા મુસ્લિમ લૂંટારાઓને નષ્ટ કરીને નામના મેળવી હતી. તેઓ ત્યારબાદ દેરજ નામના દાલ રાજપૂતની સાથે ગુંદીયાળી આવ્યા અને રાઠોડોની સામે તેની મદદ કરી હતી. દર વર્ષે ઘણાં મુસ્લિમ અને હિંદુ શ્રદ્ધાળુઓ અહીં માનતા માનવા આવે છે અને પથ્થરના ઘોડાને ફૂલો ચડાવે છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૨.
માંડવી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન