ધકવાડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ધકવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. ધકવાડા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. શેરડી, ડાંગર, ઘઉં તેમ જ અન્ય શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત ઉત્પાદનો છે.

ધકવાડા
—  ગામ  —
ધકવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ધકવાડા ગામ બીલીમોરાથી ચિખલી જતા માર્ગ ઉપર આવેલા આંતલિયા ગામથી ઉત્તર દિશામાં આશરે ૨ કિલોમિટર અંતરે આવેલું છે.

આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

આ ગામની આસપાસ આંતલિયા, દેવસર, કેસલી, તલોદ જેવાં ગામો આવેલાં છે. ધકવાડા ગામના કરસનભાઈ પટેલ ગણદેવી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સતત ત્રણ વાર ચુંટાયા હતા તેમ જ ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં પણ આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે.