નસારપોર (તા. ઉમરપાડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

નસારપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું ગામ છે. નસારપોર ગામના લોકોના મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ જંગલ વિસ્તારમાં આવેલું ડુંગરાળ ભૂપૃષ્ઠ ધરાવતું ગામ છે. અહીં મુખ્યત્વે વસાવા, ચૌધરી તેમ જ ગામિત જેવા આદિવાસી જાતિના લોકો રહે છે. ગામના લોકો ડાંગર, જુવાર, વરાઇ, નાગલી વગેરે ધાન્યોની ખેતી કરે છે. ગામના કેટલાક લોકો જંગલમાંથી પ્રાપ્ત થતી લાકડા સિવાયની વસ્તુઓ(ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) મેળવી તેના વડે પણ જીવન ગુજારે છે.

નસારપોર
—  ગામ  —
નસારપોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°26′43″N 73°28′30″E / 21.445347°N 73.475052°E / 21.445347; 73.475052
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઉમરપાડા
વસ્તી ૪,૩૧૧[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૬૯ /
સાક્ષરતા ૭૨.૦૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, જુવાર, વરાઇ, નાગલી

નસારપોર ગામમાં ભગત ફળિયું, ડુંગરી ફળિયું, ઉમર ફળિયું, સ્ટેશન ફળિયું, કાકડવા, કદવાલી, કેલીકુવા જેવા વિસ્તારો આવેલા છે. ગામની વસ્તી ૪૩૧૧ જેટલી છે, જેમાં ૨૧૮૯ પુરુષો અને ૨૨૧૧ સ્ત્રીઓ છે. ગામનો સાક્ષરતા દર ૭૨.૦૭ ટકા છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Nasarpore Village Population, Caste - Umarpada Surat, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]