મોરગર (તા. નખત્રાણા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોરગર (તા. નખત્રાણા) (અથવા મોરગઢ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

મોરગર (તા. નખત્રાણા)
—  ગામ  —
મોરગર (તા. નખત્રાણા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°14′59″N 69°20′24″E / 23.249780°N 69.339926°E / 23.249780; 69.339926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

મોરગરની સ્થાપના ઇસ ૯૪૨માં અણહિલવાડ પાટણમાંથી ચાવડા વંશના પતન પછી સામંતસિંહ ચાવડાના પુત્ર અહિપતે કરી હોવાનું મનાય છે. અહિપતે કચ્છમાં શાસન સ્થાપ્યું હતું અને ૯૦૦ જેટલાં ગામો જીતીને મોરગરને પોતાની રાજધાની બનાવી હતી. હવે ચાવડકો તળાવના નામ સિવાય ચાવડા શાસનના કોઇ પુરાવાઓ મળતા નથી.[]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૪૪.


નખત્રાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન