વાઘાસણ (તા. થરાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વાઘાસણ (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. વાઘાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, રાયડો, ઇસબગુલ, જીરૂ, બાજરી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વાઘાસણ
—  ગામ  —
વાઘાસણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
વસ્તી ૩,૫૪૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, રાયડો, ઇસબગુલ, જીરૂ, બાજરી, શાકભાજી

વાઘાસણ ગામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ઉત્તરે દેશી ગોળિયું, દક્ષિણે મારવાડી ગોળિયું અને મધ્યમાં વાઘાસણ ગામ આવેલા છે.

ગામમાં શિવ, રામ, હનુમાન, ગોગાજી, માતાજી, રામાદેવ પીર, વગેરે મંદિરો આવેલાં છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Vaghasan Village Population, Caste - Tharad Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-24.[હંમેશ માટે મૃત કડી]