સુમંત મહેતા

૨૦મી સદીના ભારતીય ચિકિત્સક, સ્વતંત્રતા સેનાની અને સમાજ સેવક

સુમંત મહેતા (૧ જુલાઇ ૧૮૭૭ - ૧૫ ડિસેમ્બર ૧૯૬૮) ભારતના ચિકિત્સક, સ્વતંત્રતાસેનાની અને સામાજિક કાર્યકર હતા. તેઓ લંડનમાં ભણેલા હતા અને ૧૯૨૧માં જાહેર જીવનમાં પ્રવેશતા પહેલા તેમણે બરોડા રાજ્યના ગાયકવાડ રાજવંશના અંગત ચિકિત્સક તરીકે સેવા આપી હતી. તેમના પત્ની શારદા મહેતા સાથે તેઓ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા.

સુમંત મહેતા
જન્મની વિગત(1877-07-01)1 July 1877
મૃત્યુ15 December 1968(1968-12-15) (ઉંમર 91)
શિક્ષણMBChB
શિક્ષણ સંસ્થાવિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર
વ્યવસાયસમાજ સેવક, ચિકિત્સક, સ્વતંત્રતા સેનાની
જીવનસાથી
સંતાનોરમેશ સુમંત મહેતા

પ્રારંભિક જીવન ફેરફાર કરો

સુમંત મહેતાનો જન્મ ૧ જુલાઇ ૧૮૭૭ના રોજ સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.[૧] તેમના પિતા બટુકરામ શોભારામ મહેતા બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ચિકિત્સક હતા અને તેમણે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો.[૧][૨] તેમની માતા દહીગૌરી સુરતના હતા.[૧] તેઓ સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી[૩] ના પૌત્ર અને ગુજરાતી નવલકથાકાર નંદશંકર મહેતા તેમના નાના હતા.[૪]

તેમનું શાળાકીય શિક્ષણ બરોડા અને બોમ્બે (હવે મુંબઈ)માં થયું હતું.[૧] તેણે ત્રણ વર્ષ સુધી બોમ્બેની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો.[૧] ૧૮૯૮માં, તેમણે શારદા મહેતા સાથે લગ્ન કર્યા[૫] ત્યારે તેઓ તબીબી વિદ્યાર્થી હતા અને તેમના કરતા ચાર વર્ષ મોટા હતા. વધુ અભ્યાસ માટે તેઓ પછીથી માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ જવા રવાના થયા.[૧][૬] તેમણે તેમનું તબીબી શિક્ષણ પૂર્ણ કર્યું અને ૧૯૦૧માં વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાંથી MBChBની પદવી મેળવી.[૧][૪]

કારકિર્દી ફેરફાર કરો

૧૯૦૩માં તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ગાયકવાડના અંગત ચિકિત્સક તરીકે જોડાયા. તેમણે બરોડા રાજ્યના સેનેટરી કમિશનર તરીકે પણ સેવા આપી હતી.[૧][૨][૪] તેમણે બરોડા અને નવસારીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી.[૪] ગાયકવાડની સાથે, તેમણે ૧૯૧૦-૧૧માં ચીન, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, યુએસ અને કેનેડાના પ્રવાસો કર્યા, જેના વડે તેમના પરિપ્રેક્ષ્યો વિસ્તૃત થયા. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ઓમર ખય્યામના ધાર્મિક ગ્રંથો અને કાર્યોથી પ્રભાવિત હતા. તેઓ બરોડાની મહારાણી ચિમનાબાઈ દ્વિતીયથી પણ પ્રભાવિત હતા. તેમણે ૧૯૦૬માં કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં હાજરી આપી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થઈને, તેઓ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીમાં જોડાયા અને ૧૯૧૫માં તેમનું બાકીનું જીવન જાહેર સેવામાં વિતાવવાનું નક્કી કર્યું.[૧][૪] તેમણે ગાયકવાડની તેમની સેવાઓમાંથી નિવૃત્તિ લીધી અને ૧૯૨૧માં તેમના પત્ની સાથે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.[૧][૪]

૧૯૨૩માં, તેમણે સોજિત્રા ખાતે યોજાયેલી ગુજરાત કિસાન સભાના પ્રમુખ તરીકે સેવા આપી હતી.[૧] તેમણે ૧૯૨૭માં ગુજરાતમાં આવેલા પૂરના રાહત કાર્યમાં ભાગ લીધો હતો.[૧] ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેઓ તેમની પત્ની સાથે સરભોણ શિબિરના પ્રભારી હતા.[૧] [૭] તેમણે ૧૯૨૯માં યુવા પરિષદનું આયોજન કર્યું. [૧] તેમની અધ્યક્ષતા હેઠળ, બરોડા પ્રજા મંડળ (બરોડા પીપલ્સ એસોસિએશન) ની ૮મી અને ૧૩મી પરિષદો અનુક્રમે ૧૯૩૦માં નવસારીમાં અને મે ૧૯૩૬માં નવસારી નજીકના કઠોર ગામમાં યોજાઈ હતી.[૧][૮] [૯] તેમણે ૧૯૩૬માં કલોલ નજીક શેરથા ગામમાં આશ્રમની સ્થાપના કરી.[૧]

તેમણે ખેડૂતો, મજૂરો અને આદિવાસી લોકોના કલ્યાણ માટે કામ કર્યું. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે, તેમણે ૧૯૩૮માં હરિપુરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દરમિયાન ખેડૂતોની રેલીનું આયોજન કર્યું હતું.[૧]

તેમના યુરોપ પ્રવાસ દરમિયાન, તેઓ મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવા ભારતીય ક્રાંતિકારીઓને મળ્યા હતા. સવિનય કાનૂનભંગ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જલાલપોર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ સાબરમતી, વિસાપુર અને નાસિકની જેલોમાં પાંચ વર્ષ વિતાવ્યા હતા.[૧]

તેમણે આત્મકથા નામની આત્મકથા લખી હતી જે ૧૯૭૧માં મરણોત્તર પ્રકાશિત થઈ હતી.[૩][૧૦] તેમની અન્ય કૃતિઓમાં સમાજદર્પણ અને હલીઃ જમીનના ગુલામોનો સમાવેશ થાય છે.[૪] તેમણે હલીનું વર્ણન કર્યું હતું, જે આદિવાસીઓની ગુલામીનું એક સ્વરૂપ હતું. તેમણે આદિવાસી લોકોને તેમના કાર્યોમાં રાણીપરજ (શબ્દશ: વનના લોકો) તરીકે વર્ણવ્યા હતા.[૧૧]

૧૫ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ તેમનું અવસાન થયું.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ ૧.૧૪ ૧.૧૫ ૧.૧૬ ૧.૧૭ શુક્લા, જયેશકુમાર આર. (જાન્યુઆરી ૨૦૦૨). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XV (૧લી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૯–૫૪૦. OCLC 248968453.
  2. ૨.૦ ૨.૧ V. K. Chavda (1972). Sayaji Rao Gaekwad, III. National Book Trust, India. પૃષ્ઠ 1903.
  3. ૩.૦ ૩.૧ Chavda, V. K. (1982). Modern Gujarat. New Order Book Company. પૃષ્ઠ 52, 62.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ ૪.૭ Vaghela, Arun (2018-07-01). "૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો : ડો.સુમંત મહેતા (1877-1968)". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2019-02-21.
  5. Karuna Chanana; Nehru Memorial Museum and Library (1988). Socialisation, education, and women: explorations in gender identity. Orient Longman. પૃષ્ઠ 89–91.
  6. Sujata, Menon (2013). Sarkar, Siddhartha (સંપાદક). "An Historical Analysis of the Economic Impact on the Political Empowerment of Women In British India". International Journal of Afro-Asian Studies. Universal-Publishers. 4 (1): 17–18. ISBN 978-1-61233-709-8. ISSN 0974-3537.
  7. Chatterjee, Ramananda (1942). "The Modern Review". 72. Prabasi Press Private Limited: 118. Cite journal requires |journal= (મદદ)
  8. William T. Pink; George W. Noblit (6 January 2017). Second International Handbook of Urban Education. Springer. પૃષ્ઠ 390–391. ISBN 978-3-319-40317-5.
  9. Nagindas Sanghvi (1996). Gujarat: A Political Analysis. Centre for Social Studies. પૃષ્ઠ 126.
  10. Thorner, Alice; Patel, Sujata; Bagchi, Jasodhara; Raj, Krishna (23 May 2002). Thinking Social Science in India: Essays in Honour of Alice Thorner. SAGE Publications. પૃષ્ઠ 316. ISBN 978-0-7619-9600-2.
  11. Basudev Chatterji; Sarvepalli Gopal; Indian Council of Historical Research (1999). Towards freedom: documents on the movement for independence in India, 1938. Oxford University Press. પૃષ્ઠ 416. ISBN 978-0-19-564449-4.

બાહ્ય કડીઓ ફેરફાર કરો