અનગઢ (તા. વડોદરા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અનગઢ (તા.વડોદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા તથા વડોદરા શહેરની આસપાસનાં વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકામાં આવેલું એક અને ઐતિહાસિક ગામ છે. આજે પણ અહીં જીર્ણ હાલતમાં કિલ્લો જોવા મળે છે. અનગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અનગઢ
—  ગામ  —
અનગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′26″N 73°10′52″E / 22.30731°N 73.181098°E / 22.30731; 73.181098
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો વડોદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

બિન-સલામી રજવાડું અનગઢ એ ત્રણ "દોરકા રજવાડાં" (રેવા કાંઠા એજન્સી સંસ્થાન હેઠળનાં પાંડુ મેહવાસનાં ભાગરૂપ) માંનું મોટું રજવાડું હતું, અન્ય બે માં એક દોરકા સ્વયં અને બીજું રાયકા હતું. ૪.૫ ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતું આ રજવાડું ગોહિલ દ્વારા શાસિત હતું અને સન. ૧૯૦૧માં તેની વસતી ૨,૨૬૯ હતી. તેની વાર્ષિક મહેસુલી આવક ૫,૧૮૧ રૂ. (૧૯૦૩-૪; જેમાં અડધો અડધ જમીનની આવક હતી) હતી જેમાંથી ૧,૩૪૪ રૂ. વડોદરા રાજ્યના ગાયકવાડને નજરાણારૂપે અપાતી હતી.

સ્રોત અને બાહ્ય કડીઓ ફેરફાર કરો