ઇસનપુર (તા. માંગરોળ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઇસનપુર (તા. માંગરોળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. ઇસનપુર ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, જુવાર, તુવર, કપાસ તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી,ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.

ઇસનપુર
—  ગામ  —
ઇસનપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′18″N 73°08′52″E / 21.471619°N 73.147759°E / 21.471619; 73.147759
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો માંગરોળ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, જુવાર, તુવર, કપાસ,
શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

ગામમાં પ્રાથમિક શાળા, કોમ્યુનિટિ હોલ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. ગામમાં ૮ થી ૧૦ ધોરણની કસ્તુરબા માધ્યમિક કન્યાશાળા તથા વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય પણ આવેલ છે.