ખસ (તા. રાણપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખસ (તા. રાણપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું ગામ છે.[૧] ખસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિકશાળા,રેલ્વેસ્ટેશનઃસાળંગપુર રોડના નામથીછેપંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ખસ ગામમાં ભીમસ્વામિદાદાની જગ્યા આવેલી છે.જે પાળિયાદ વિસામણબાપુની જગ્યાની પેટા શાખા છે.

ખસ
—  ગામ  —
 ખસ 
ખસનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′03″N 71°43′57″E / 22.234168°N 71.732461°E / 22.234168; 71.732461
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો રાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

આ ગામમાં ઘણાં બધા નોકરિયાતો જુદીજુદી શાખામાં ફરજ બજાવે છે. પ્રખ્યાત ટીવી શ્રેણી 'કૌન બનેગા કરોડપતિ'માં આ ગામના વનરાજસિંહ ચાવડાએ ભાગ લઇને સને ૨૦૧૦માં રૂ.૨૫ લાખનુ ઈનામ જીત્યા હતા. વળી તેમણે ખસ ગામના શહિદ સહદેવસિહ મોરીના નામ પરથી પુસ્તકાલય બનાવી આપ્યું છે.[સંદર્ભ આપો]

રાણપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.