જીવાપર ચકમપર (તા. મોરબી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જીવાપર ચકમપર (તા. મોરબી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા મોરબી તાલુકામાં આવેલું એક ગામ છે. જીવાપર ચકમપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય સિરેમિક ઉદ્યોગ, ખેતી તેમજ પશુપાલન છે. આ ઉપરાંત ગામનાં ઘણા લોકો આસપાસમાં નોકરી કરવા પણ જાય છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તેમ જ દૂધની ડેરી, પોસ્ટ ઓફિસ, જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જળ સ્ત્રોત તરિકે અહીં નર્મદા નહેર, ૨ તળાવ, ઘોડાધ્રોઇ નદી છે.

જીવાપર ચકમપર
—  ગામ  —
જીવાપર ચકમપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°48′53″N 70°49′46″E / 22.814672°N 70.829315°E / 22.814672; 70.829315
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો મોરબી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

મોરબીથી જેતપર ગામ તરફ જતાં રાજ્ય ધોરીમાર્ગ ૩૨૧ પર રંગપરથી વડી જવાનું એટલે ૬ કિ.મી.નો રસ્તો થાય. આ ગામની બાજુમાં પાવડીયારિ માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે ધાર્મિક સ્થળની સાથે સાથે જે ફરવા લાયક સ્થળ પણ છે.