પોલારપુર (તા. બરવાળા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પોલારપુર (તા. બરવાળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે.[૧] પોલારપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, અહીં ના વેરાણી ભારતભર માં આગવી ઓળખ ધરાવે છે, અને દરેક જ્ઞાતી માં શિક્ષણ નું પ્રમાણ ખુબ જ ઊંચું જોવા મળે છે. પોલારપુર ગામ બરવાળા ધંધુકા વાળા હાઇવે પર આવેલું ખૂબ જ સુંદર ગામ છે એને અને સાળંગપુર(હનુમાનજી) જવા માટે નો સૉર્ટ રસ્તો પોલારપુર થી જ વળાંક લે છે.

પોલારપુર
—  ગામ  —
પોલારપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′23″N 71°55′07″E / 22.239849°N 71.918607°E / 22.239849; 71.918607
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો બરવાળા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન