બીલીયા (તા. સિદ્ધપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બીલીયા (તા. સિદ્ધપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સિદ્ધપુર તાલુકામાં આવેલું એક ગામ છે. બીલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. બિલિયા ગામનાં મરચાં પ્રખ્યાત છે, જે ગુજરાત રાજ્યમાંથી બીજા રાજયોમાં પણ મોકલવામાં આવે છે. બીલીયા ગામના કેટલાક લોકોનો મુખ્ય વ્યવસાય સુરત શહેરમાં કાપઙના વેપારી તરીકેનો છે.

બીલીયા
—  ગામ  —
બીલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°54′51″N 72°22′18″E / 23.91408°N 72.371597°E / 23.91408; 72.371597
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સિદ્ધપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

આ ગામમાં શ્રી સહસ્ત્રકળા માતાજીનું પૌરાણિક મંદિર તથા સ્વામિનારાયણ મંદિર જેવાં ધર્મસ્થળો આવેલાં છે.