ભટવદર (તા. લાઠી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભટવદર (તા. લાઠી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લાઠી તાલુકામાં આવેલું એક ગામ છે. ભટવદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

ભટવદર
—  ગામ  —
ભટવદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′18″N 71°23′08″E / 21.72167°N 71.38546°E / 21.72167; 71.38546
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો લાઠી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

સગવડો ફેરફાર કરો

ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, તેમ જ ગામમાં મીઠા પાણી માટે પાણીના ટાંકાની તથા ગ્રામ તળાવ અને ચેકડેમ જેવી જળ સંરક્ષણની વ્યવસ્થા છે.

ઇતિહાસ ફેરફાર કરો

બ્રિટિશ શાસન સમયે ભટવદર બાબરીયાવર જિલ્લા હેઠળનું સ્વંત્રત રીતે કર ભરતો તાલુકા હતો પણ પછી તેને જૂનાગઢ હેઠળ લાવવામાં આવ્યું હતું. તે જાફરાબાદથી આશરે 10 miles (16 km) દૂર આવેલું છે. બાબરીયાના ગરાસિયા વરૂ જ્ઞાતિના હતા. ૧૮૭૨માં ભટવદરની વસ્તી ૮ અને ૧૮૮૧માં ૪૬ હતી.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૫.

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૫. માંથી લખાણ ધરાવે છે.