જાંદલા (તા. થરાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જાંદલા (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. જાંદલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, દાડમ, શાકભાજી, રાયડો, મેથી, અજમો તેમ જ અન્ય બાગાયતી તથા શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જાંદલા
—  ગામ  —
જાંદલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, દાડમ, શાકભાજી, રાયડો, મેથી, અજમો

ઈતિહાસ ફેરફાર કરો

જાંદલા પૂર્વે દેહર નામે ઓળખાતું હતું એવું કહેવાય છે.[સંદર્ભ આપો] અત્યારે ગામની નજીક દેહર નામનું એક તળાવ આવેલ છે.

ભૂગોળ ફેરફાર કરો

જાંદલા ગામ થરાદથી ૮ કિમીના અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. ગામની પૂર્વમાં નાની પાવડ, ડેલ અને પશ્વિમમાં ડોડગામ અને દક્ષિણમાં સણધર અને ઉત્તરે નાગલા ગામ આવેલ છે. નર્મદાની મુખ્ય નહેર ગામની સિમના બે ભાગ પાડે છે.