પાંચપીપળા (તા. જેતપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પાંચપીપળા (તા. જેતપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જેતપુર તાલુકામાં આવેલું એક ગામ છે. પાંચપીપળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સરકારી દવાખાનું, પશુ દવાખાનું તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પણ આવેલી છે. અહીં બંધાઇ રહેલું રામ મંદીર પણ જોવાલાયક છે.

પાંચપીપળા
—  ગામ  —
પાંચપીપળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′16″N 70°37′20″E / 21.754422°N 70.622322°E / 21.754422; 70.622322
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જેતપુર
વસ્તી ૪,૪૧૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી
જેતપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Panchpipla Village Population, Caste - Jetpur Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]