બોરતવાડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બોરતવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. બોરતવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. બોરતવાડા ગામ હારીજથી ૪ કિમી દૂર હારીજ-પાટણ રાજ્ય ધોરીમાર્ગ ૧૦ પર આવેલું છે.

બોરતવાડા
—  ગામ  —
બોરતવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°41′35″N 71°54′02″E / 23.692989°N 71.900551°E / 23.692989; 71.900551
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો હારીજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
બોરતવાડા ગામનું પાટીયું

આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં મહેસાણા જિલ્લા સહકારી બેંકની શાખા આવેલી છે. વધુમાં ગામમાં નેધરલેંડ સરકારની સહાયથી પાણી શુદ્ધિકરણ યોજના આવેલી છે, જે હારીજ, સમી અને રાધનપુર તાલુકાના ગામોને પાણી પૂરું પાડે છે.[સંદર્ભ આપો]