સાકરિયા (તા. મોડાસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાકરિયા (તા. મોડાસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. સાકરિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સાકરિયા
—  ગામ  —
સાકરિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E / 23.460087; 73.295399
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો મોડાસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર અમદાવાદથી ૧૦૦ કિમી અને તાલુકા મુખ્ય મથક મોડાસાથી ૪ કિમીના અંતરે આવેલું છે.[૧] ગામમા બે તળાવ આવેલ છે.

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

ગામમાં સાંકળેશ્વર મહાદેવ અને ભીડભંજન હનુમાન મંદિર આવેલાં છે.

હનુમાનજીનું ઐતિહાસિક મંદિર ફેરફાર કરો

સાકરિયા ગામમાં આવેલા શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આ મદિરમાં હનુમાનજીની ૧૦ ફૂટ લાંબી અને સૂતેલી મૂર્તિ છે. જે ભારતભરમાં માત્ર અલ્હાબાદ અને ત્યારબાદ સાકરિયા ખાતે જૉવા મળે છે.[૧] અહીં હનુમાન જયંતીના દિવસે મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ""મહાભારતના સાક્ષી છે, સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી!"". દિવ્ય ભાસ્કર. ૧૮ એપ્રિલ ૨૦૧૧. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]