ગીતા પ્રેસ

હિંદુ ધાર્મિક ગ્રંથ-પ્રકાશક

ગીતા પ્રેસહિંદુ ધાર્મિક ગ્રંથોની વિશ્વની સૌથી મોટી પ્રકાશક છે.[૧] તે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર શહેરમાં આવેલી છે. આ પ્રેસની સ્થાપના જય દયાલ ગોયદંકા દ્વારા ૧૯૨૩માં સનાતન ધર્મના સિદ્ધાંતોના પ્રોત્સાહનના હેતુથી કરવામાં આવી હતી. હનુમાન પ્રસાદ પોદ્દાર એ તેમની પ્રખ્યાત કલ્યાણ મેગેઝિનના સ્થાપક અને તેના આજીવન સંપાદક હતા.[૨] તેમણે ૧૯૨૭માં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, અને તેની ૧,૬૦૦ નકલો ફરી રહી છે અને અત્યારે તેની છપાઈ હુકમ (૨૦૧૨માં) ૨.૫ લાખ સુધી પહોંચી ગઈ હતી. ગીતા પ્રેસ તેની ગ્રંથાગારમાં ૩૫૦૦ હસ્તલિપિઓ સહિત ગીતાના ૧૦૦ ભાષાંતરો ઘરાવે છે.[૩]

ગીતા પ્રેસ
Statusસક્રિય
Founded૧૯૨૩ (૧૯૨૩)
Founderજય દયાલ ગોયદંકા
Country of originભારત
Headquarters locationગોરખપુર, ઉત્તર પ્રદેશ
Distributionવિશ્વભરમાં
Publication typesહિંદુ ધાર્મિક પુસ્તકો,

કલ્યાણ માસિક (હિન્દી માં),

કલ્યાણ-કલ્પતરૂ (અંગ્રેજી માં)
Nonfiction topicsહિન્દુત્વ, સનાતન ધર્મ
Number of employees૩૫૦
Official websitewww.gitapress.org

ગીતા ઉપદેશક જય દયાલ ગોયદંકાએ ૨૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ સંસ્થા નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ ગોવિન્દ ભવન કાર્યાલયના એક એકમ તરીકે ગીતા પ્રેસની સ્થાપના કરવામાં આવી (હાલમાં પશ્ચિમ બંગાળ સંસ્થા અધિનિયમ,૧૯૬૦ દ્વારા સંચાલિત કરવામાં આવે છે). પાંચ મહિના પછી ₹ ૬૦૦ થી તેની પ્રથમ પ્રિન્ટીંગ મશીન હસ્તગત કરી. તેની સ્થાપના બાદ, ગીતા પ્રેસે શ્રીમદ્ ભગવદ્ ગીતા(વિવિધ આવૃત્તિઓમાં)ની લગભગ ૪૧૦ લાખ નકલો અને શ્રીરામચરિતમાનસની ૭૦ લાખ નકલો સબસિડીવાળા ભાવે પ્રકાશિત કરવામાં આવી.[૩]

ગીતા પ્રેસ દ્વાર, અને તેના સ્તંભોની પ્રેરણા ઇલોરાની ગુફામંદિરમાંથી, ગોપુરમ, મીનાક્ષી મંદિર, મદુરાઇ

તેને વેતનના મુદ્દે ડિસેમ્બર ૨૦૧૪માં અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી,[૪] પરંતુ થોડા દિવસો પછી ફરી કામ શરૂ થઇ ગયું. [૫]

પ્રકાશન ફેરફાર કરો

સામયિકો ફેરફાર કરો

  • કલ્યાણ માસિક (હિન્દી માં) એ માસિક સામયિક છે જે ૧૯૨૭થી પ્રકાશિત કરવામાં છે. તે ઉદ્ધાર કરનારા વિચાર અને સારા કાર્યોના પ્રોત્સાહન માટે વિવિધ ધાર્મિક વિષયો પર સમર્પિત લેખો ધરાવે છે. ભારતીય સંતો અને વિદ્વાનો દ્વારા લખાયલા સામયિક નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે.
  • કલ્યાણ-કલ્પતરૂ (અંગ્રેજી માં) પણ માસિક સામાયિક છે અને જે ૧૯૩૪થી પ્રકાશિત કરવામાં આવે છે. તેના લેખો કલ્યાણ સામયિક જેમ સમાન છે.

આ બન્નેમાંથી કોઇ પણ મેગેઝીન જાહેરાતો ચલાવતી નથી.

ધર્મોના ગ્રંથો ફેરફાર કરો

તેમની પાસે એક નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા છે જે ખૂબ જ લોકપ્રિય છે અને જેની કિંમત ₹ ૪/- છે.

આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રેજી, કન્નડા, તમિલ, તેલુગુ, ગુજરાતી, બંગાળી, ઉડિયા અને ભારતના અન્ય ભાષાઓમાં પ્રકાશિત થાય છે.

અન્ય પ્રકાશનો ફેરફાર કરો

  • ભક્ત-ગાથાઓ અને ભજનો
  • બાળકોને ધ્યાનમાં રાખીને નાના પુસ્તકો

ગીતા પ્રેસ કલા ગેલેરી (લીલા ચિત્રા મંદિર) ફેરફાર કરો

કળા ગેલેરીમાં ભૂતકાળના અને હાલના પ્રસિદ્ધ કલાકારો દ્વારા શ્રીરામ અને શ્રીકૃષ્ણએ ભજવેલી લીલાઓ (પરાક્રમો) ની ૬૮૪ ચિત્રકારી દર્શાવવામાં આવી છે. અન્ય ચિત્રો, શ્રીકૃષ્ણ લીલા ના મેવારી શૈલીના ચિત્રો પણ પ્રદર્શનમાં છે. દિવાલો પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા જ ૭૦૦ શ્લોકો આરસપહાણની તકતીઓ પર દર્શાવવામાં આવ્યા છે.

સંબંધિત સંગઠનો ફેરફાર કરો

 
ગીતા પ્રેસ બહિર્દ્વાર, ગીતા ભવન, મુનિ કી રેતી

ગીતા પ્રેસ એ ગોવિન્દ ભવન કાર્યાલયનું એક એકમ છે. અન્ય સંલગ્ન સંસ્થાઓમાં છે:

સંદર્ભ ફેરફાર કરો

  1. Encyclopedia Britannica.
  2. "Hanuman Prasad Poddar". મૂળ માંથી 2010-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-07.
  3. ૩.૦ ૩.૧ Holy word India Today, December 20, 2007 .
  4. Historic Geeta Press shuts down indefinitely
  5. Work resumes at Gita Press
  6. Thulasidas Ramayana સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન The Hindu, May 21, 2002.
  7. Gita Press

બાહ્ય કડીઓ ફેરફાર કરો