જંત્રાલ (તા. વિજાપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ



જંત્રાલ (તા. વિજાપુર)
—  ગામ  —
જંત્રાલ (તા. વિજાપુર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°39′58″N 72°41′00″E / 23.6661246°N 72.6833152°E / 23.6661246; 72.6833152
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો વિજાપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, બાજરી, જીરુ, વરિયાળી, કપાસ, દિવેલી, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૮૨ ૮_ _
    • ફોન કોડ • +૦૨૪૩૬
    વાહન • જીજે - ૦૨

જંત્રાલ (તા. વિજાપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિજાપુર તાલુકામાં આવેલું એક ગામ છે. જંત્રાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામની વસ્તી આશરે ૧૦,૦૦૦ જેટલી છે.

જોવા લાયક સ્થળો ફેરફાર કરો

  • ઉમીયા માતાનું મંદિર ‌
  • બ્રમ્હાણી માતાનું મંદિર ‌અને એની પાસે આવેલો કુવો (ગામનો કુવો). આ ગામનો કુવો આશરે ૧૦૦૦ વર્ષ જુનો છે. અને તેની અંદરથી મળી આવેલ શીલા લેખ ‌જે સંસ્કૄત ભાષામાં લખાયેલ છે તે આ વાતની પુર્તિ આપે છે.
  • બહુચરાજી માતાનું મંદિર ‌
  • રામજી મંદિર ‌
  • મહાવીર સ્વામીનું ભવ્ય દેરાસર
  • ચબુત‍રો
  • ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે.
  • જંત્રાલ ઞામની અંદર હાલના સમયમાં એક મંદિર બને છે.
  • મહાદેવનું મંદિર આશરે ૯૦૦ વર્ષ જુનું અને ચમત્કારીક છે.
  • આ ઞામ અગિયાર ઞામ કડવા પાટીદાર સમાજ પૈકીનું એક ગામ છે.