તરવડા (તા. અમરેલી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

તરવડા (તા. અમરેલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા અમરેલી તાલુકાનું એક ગામ છે. તરવડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

તરવડા
—  ગામ  —
તરવડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°36′10″N 71°13′05″E / 21.602871°N 71.21817°E / 21.602871; 71.21817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો અમરેલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

અહીયા સ્વામીનારાયણ ગુરુકુળ જાણીતી સંસ્થા છે. બાબાપુર અને મેડી પડોશમાં આવેલા ગામ છે.શેત્રુંજી નદીના કીનારે તરવડા આવેલ છે. અમરેલીથી તરવડા ૨૧ કિમી દૂર છે.

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અમરેલી તાલુકાના ગામો