તાલેપુરા (તા. ડીસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

તાલેપુરા (તા. ડીસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. તાલેપુરા ગામ ડીસાથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલુ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ જવા માટે બે રસ્તા છે. જેમાનો એક.વાયા ડાવસ, ભડથ થઈને અને બીજો વાયા કંસારી, બાઇવાડા થઈ થેરવાળાથી ૪ કિ.મી.ના અંતરે આવેલ છે.

તાલેપુરા
—  ગામ  —
તાલેપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ડીસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

તાલેપુરાનું પહેલા નામ હતું ઘાનપુરા પણ તેને પાછળથી ચૌઘરી તેમજ પટેલોએ નવા ગામની રચના કરી અને તાલેપુરા વિકસાવ્‍યું હતું. તાલેપુરામાં નકળંગ દેવતાનું ખુબ જુનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. તેમજ ગામ બહાર શિવ મંદિર પણ આવેલું છે.

તાલેપુરા ગામમાં તાજેતરમાં ચૌઘરીઓની કુળદેવી અબૃદા માતાના મંદીરના નિર્માણનુ કામ ચાલુ છે. તાલેપુરા ગામમા મુખ્યત્વે ચૌધરી લોકોની પેટા જ્ઞાતિ ઉપલાણા છે આ ઉપરાંત વાઘડા જ્ઞાતિના લોકો ૫ણ વસવાટ કરે છે.