દલખાણીયા (તા. ધારી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દલખાણીયા (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. દલખાણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ થાણું, વનવિભાગની કચેરી, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દલખાણીયા
—  ગામ  —
દલખાણીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°14′27″N 70°55′37″E / 21.240962°N 70.927026°E / 21.240962; 70.927026
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો ધારી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ભૂગોળ ફેરફાર કરો

દલખાણીયા ધારીથી પશ્ચિમ દિશાએ આવેલું છે. ધારી-કોડીનાર રોડ પર ધારીથી ૧૫ કિલોમીટર દૂર દલખાણિયા જતા નાની અને મોટી કાપેલધાર આવે છે. આ ગામની વચ્ચે એક ટેકરી આવેલી છે અને આ ટેકરી ઉપર બે ઐતિહાસિક કોઠા આવેલા છે. આ ટેકરી કોઠાધાર તરીકે ઓળખાય છે. ગામની ભાગોળે બે નદીઓ આવેલી છે. પડોશી ગામોમાં ગોવિંદપુર, સુખપુર, કોટડા, પાણિયા, મીઠાપુર, સમુહખેતી, બોરડી, ગીગાસણ વગેરેનો સમાવેશ થાય છે. ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું છે.

નજીકના સ્થળો ફેરફાર કરો

મહત્વનાં શહેરો/નગરોથી દલખાણિયાનું અંતર નીચે પ્રમાણે છે:

સ્થળ અંતર
ધારી ૧૫ કિમી
અમરેલી ૫૫ કિમી
ચલાલા ૩૦ કિમી
જુનાગઢ ૬૦ કિમી
તુલશીશ્યામ ૫૦ કિમી
કોડિનાર ૫૫ કિમી
અમદાવાદ ૩૩૦ કિમી


ધારી તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન