વડગામ (તા. દસાડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વડગામ (તા. દસાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા દસાડા તાલુકામાં આવેલું એક ગામ છે. વડગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, છાત્રાલય, પંચાયતઘર, આંગણવાડી તેમ જ ૬૬ કે.વી. વિધુત સબસ્ટેશન, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં પેટ્રોલપંપની સુવિધા પણ ઉપલબ્ધ છે.

વડગામ
—  ગામ  —
વડગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°19′27″N 71°49′49″E / 23.324081°N 71.830379°E / 23.324081; 71.830379
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો દસાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ભારતીય ભૂમિસેનામાં સેવારત એવા આ ગામનાં યુવાન મહેશ પરમારે કાશ્મીર સરહદ પર શહીદી વહોરી લીધેલી. સ્મારકરૂપે શહીદ મહેશ પરમારનું બાવલું (સ્ટેચ્યુ) આ ગામમાં સ્થિત છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો