અમરાપર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ નાનું ગામ છે. અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અમરાપર
—  ગામ  —
અમરાપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°30′08″N 70°57′39″E / 23.502312°N 70.960758°E / 23.502312; 70.960758
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

મેળો ફેરફાર કરો

દર વર્ષે અહીં મહંમદ ગઝનીના અમીર કારા કાસીમની યાદમાં મેળો યોજાય છે. કારા કાસીમને અહીં શાસન કરતા સામા રાજપૂતો દ્વારા ૧૪ સદીમાં હણી નાખવામાં આવ્યો હતો. આ મેળો ચૈત્ર વદના પ્રથમ સોમવારે (એપ્રિલ-મે) શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે, જે મુન્દ્રાના પીર શાહ મુરાદની દેખરેખમાં થાય છે. લોકો દરગાહ પર પૈસા, નારિયેર, કપડાં, બકરીઓ, ઘેટાં, મિઠાઇઓ અને ખજૂર ચડાવે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦.
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન