કરચેલીયા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કરચેલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું અને મોટું ગામ છે. કરચેલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આઇ ટી આઇ, બી. એડ. કોલેજ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કરચેલીયા એસટી પિક અપ સ્ટેન્ડ
કરચેલીયા
—  ગામ  —
કરચેલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E / 21.02092; 73.136581
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો મહુવા, સુરત જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, તુવર દિવેલી
કેળાં, કેરી તેમજ શાકભાજી



આ ગામ બારડોલીથી અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલું હોવાને કારણે વાહન વ્યવહારની સગવડ સરળતાથી ઉપલબ્ધ બને છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે મથક બારડોલી તેમ જ સૌથી નજીકનું હવાઇ મથક સુરત ખાતે આવેલું છે.

આ ગામ આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામેલ છે, જેમાં જીવન જરુરીયાતની લગભગ તમામ ચીજવસ્તુઓ મળી જાય છે. આ ગામમાં બેંક, પેટ્રોલ-ડીઝલ વિતરણ પંપ તેમ જ સિનેમા ઘર પણ આવેલાં છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.