ચંદીયા (તા. અંજાર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચંદીયા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ચંદીયા
—  ગામ  —
ચંદીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°05′32″N 69°50′22″E / 23.092277°N 69.839536°E / 23.092277; 69.839536
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
લિંગ પ્રમાણ ૦.૮૯૪ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 27 metres (89 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦૧૧૦
    • ફોન કોડ • +૦૨૮૩૬
    વાહન • જીજે-૧૨
માધ્યમિક શાળા, ચંદીયા

આ ગામ અંજારથી ૧૮ કિમીના અંતરે આવેલું છે.

ઇતિહાસ ફેરફાર કરો

ચાંદીયા એ ગુર્જર ક્ષત્રિયોનાં ૧૯ ગામો પૈકીનું એક છે. ગૂર્જર ક્ષત્રિયો સૌ પ્રથમ ૭મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા અને પછી તેમનાં પૈકી મોટાભાગનાં ૧૨મી સદીમાં કચ્છનાં ધાનેટીમાં સ્થાયી થયા. ૧૨ સદીના અંતમાં તેઓ અંજાર અને ભુજ વચ્ચે સ્થાયી થયા અને અંજાર, સીનુગ્રા, ખંભરા, નાગલપર, ખેડોઈ, માધાપર, હજાપર, કુકમા, ગલપાદર, રેહા, વીડી, રતનાલ, જાંબુડી, દેવળીયા, લોહારીયા, નાગોર, ચંદીયા, મેઘપર અને કુંભારીયા ગામોની સ્થાપના કરી.[૨][૩][૪][૫][૬]

જૂનાં ઘરો, મંદિરો અને અન્ય જૂનું સ્થાપત્ય ગુર્જર ક્ષત્રિય સમુદાયે બાંધ્યું હતું. જોકે, ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં મોટાભાગનું આ અનોખું સ્થાપ્ત્ય નાશ પામ્યું હતું.

જાણીતાં વ્યક્તિઓ ફેરફાર કરો

કેટલાક ગૂર્જર ક્ષત્રિયો એ ૧૮૬૦-૧૯૪૦ના સમયગાળા દરમિયાન બ્રિટિશ ભારતમાં રેલ્વેનાં કાર્યો કર્યા હતા. તેમાંથી એક વિશ્રામજી કરમાનજી ચાવડા એ જાણીતું નામ છે, તેમણે મુન્દ્રા બંદર અને ૧૮૮૩માં રુક્માવતી નદી નદી પર બંધ બાંધ્યો હતો. આ બંધ એ હાલમાં ભારતનાં જૂનામાં જૂનાં બાંધકામોનું એક ગણાય છે.[૭][૮][૯][૧૦][૧૧]

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

 
જડેશ્વર મહાદેવ મંદિર

કચ્છ ગુર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં કુળદેવીઓના મંદિરો આ ગામમાં આવેલા છે. પાંચ ગામો - ચંદીયા, લોહારીયા, માધાપર, સીનુગ્રા અને ગલપાદર - ના ચાવડાઓની કુળદેવી ચામુંડા માતાનું મંદિર અહીં આવેલું છે. ૧૯૦૦ની સાલમાં ગૂર્જર ક્ષત્રિયો દ્વારા ઠાકોર મંદિર અને જડેશ્વર મહાદેવનાં મંદિરો બાંધવામાં આવ્યા હતા, જે તેમના રંગ અને કોતરણીઓ માટે પ્રખ્યાત છે.

અંજાર તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
  2. "Kutch Gujar Kshatriyas, History & names of their 18 villages". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-26.
  3. "Press Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch". મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-26.
  4. "Press Report on Houses, History of Mistiris of Kutch". મૂળ માંથી 2012-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-26.
  5. Kutch Gurjar Kshatriyas
  6. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges
  7. Ratna Bhagat ni Chopdi-IInd Edition,1932: Article by K. V. Chavda
  8. Diary of Golden Days at Jharia - A Memoir & History of Gurjar Kashtriya Samaj of Kutch in Coalfields of Jharia - written by Natwarlal Devram Jethwa of Calcutta/Sinugra complied by Raja Pawan Jethwa (in English) in 1998.
  9. Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara.It is a diary of Railway Contracts done by KGK community noted by Nanji Govindji Tank of Hajapar/Jamshedpur, complied by Dharsibhai Jethalal Tank of Nagalpar/Tatanagar. This book was given Aank Sidhhi award by Kutch Shakti at Mumbai in year 2000.Railway Contractors from Chandia
  10. Ratna Bhagat Ni Chopdi:1930
  11. Kadia Kshatriya Abhudaya:1897